મનનો આક્રોશ

Wednesday, September 24, 2008

અને મારી પાસે આનો કોઇ જવાબ ન હતો...
...........................................................

અમારુ મિત્ર વર્તુળ નાનુ છે પણ મજાનું છેં ...

અમે લોકો બધા જ્યારે મલીયે ત્યારે કોઇ ને કોઇ વાત પર અમે બધા ચર્ચા કરીયે...

અને કોઇ એક વાત પર સર્વ સમંતી થી નક્કી કરીયે કે હા આ બરોબર છેં અમારા બાળકો પણ અમારી સાથે એ ચર્ચા માં ભાગ લે...ખુબ આંનદ આવે....


એ ચર્ચા ક્યારેક રાજકરણ પર હોય....

ક્યારેક સાસુ વહુ પર હોય

ક્યારેક સાથે રહેવુ સારુ કે અલગ રહેવુ સારુ એના પર હોય...


ક્યારેક આપણે ક્યાંક્યાં સ્વાર્થ આપનાવ્યો છેં એના પર હોય....


ક્યારેક બધા પોતાનાં ગુન્હા કબુલ કરે એવો દિવસ રાખીયે....

આવુ કાંઇક નવુ કરતા રહીયે...જ્યારે મલીયે ત્યારે...

ક્યારેક એ મુલાકાત મહીના માં એક વાર થાય તો ક્યારેક એ મુલાકાત છ મહીને એક વાર થાય....

પણ ગમે, બધાનાં વિચારો જાણવા મળે.....

આપણા બાળકો શું વિચારો ધરાવે છે એ ખબર પડે...


અમારા મિત્ર વર્તુળ માં એક જોડી મુસલમાન છે...

હમણા જ્યારે છેલ્લે મલ્યાં ત્યારનો વિષય હતો કે નોનવેજ ખાવુ જોઇયે કે નહી ....

અમારી ચર્ચા આ પ્રમાણે હતી....


મે કહ્યુ ક્યારેય ન ખવાય ....એની માટે વિચારવુ પણ પાપ છેં .....

અમારા મુસલમાન મિત્ર નું કહેવુ હતુ કે અમાર ધર્મ માં એને પાપ નથી ગણાતુ તો અમે કેમ માનીયે?


મે કહ્યુ "ધર્મ માં ભલે નથી કહેવાતુ પણ મને એક વાત નો જવાબ આપો તમારુ કાળજુ ન કપાઈ જાય જ્યારે તમારી

સામે કોઇ એક માણસ મુરગી ની મુંડી કાપે અને પછી એનાં પીછા કાપે અને અંદર થી ... "

મારાથી આગળ બોલાણુ પણ નહી...



તો અમારા એ મિત્ર એ કહ્યુ કે "જુઓ ભાભી અમને એવુ કાંઇ ન થાય..તો અમે શું કરીયે? "

મને એ વાત નો જવાબ આપો જો તમારી દીકરી ને કોઇ છોકરો પસંદ પડે અને એ નોન વેજ ખાતો હશે તો તમે શું કરશો? "


મે કહ્યુ "મે મારી દીકરી ને સમજાવ્યુ છે કે, જો તમે કોઇ મચ્છી માર્કેટ પાસે થી નીકળો છો તોય તમારાથી એ વાસ

સહન નથી થાતી તો તમે એવા લોકો નાં ઘર માં કેવી રીતે રહી શકશો.......

તો પ્રેમ કર્યા પહેલા વિચારજો કે તમે તમારુ આખુ જીવન દાવ પર લગાવો છો...... "


અને મે એ મારા એ મિત્ર તરફ જોઇને કહ્યુ કે "મને એક વાત કહો હુ તમને એક દુધ નો ગ્લાસ આપુ અને તમે એ દુધ

પીતા હો અને તમારા નાક ની નસકોરી ફુટે અને એ લોહી નાક માં જાય તો શું તમે એ દુધ પી જાશો?(આ કોઇ સંત નુ

બોલેલુ વાક્ય છે જે સાંભળ્યુ હતુ એ ત્યારે યાદ આવી ગયું) "


તો એમણે મોઢુ બગાડ્યુ કે શું ભાભી એ કેમ પીવાય ?


તો મે કહ્યુ તમે તમારુ લોહી નથી પી શક્તા પણ બીજાને ચીરી ને ખાઈ શકો છો?


તો એમની પાસે કોઇ જવાબ ન હતો॥મને એમ થયુ કે હુ એક જણ ને નોન વેજ ખાવામાથી બહાર કાઢી શકી..અને મનમાં રાજી થાતી હતી..



ત્યાં એ ભાઈ બોલ્યા। "મને એક વાત કહો ભાભી વિચારી લ્યો કે તમારી દીકરી જેને પરણી એનાં ઘરમાં નોન વેજ

ખવાતુ હશે તો શું કરશો? "



મે કહ્યુ હુ એનાં ઘર નું પાણી પણ નહી પીવુ .... એને ખાઈ માં પડવુ હોય તો હુ એને બચાવવાની પુરી મહેનત કરીશ

પણ જો તોય એવુ પાત્ર મલ્યુ તો કમસેકમ હુ તો એનાં ઘર નું પાણી પણ નહી પીવું......


તો એ ભાઈ એ જવાબ આપ્યો ભાભી તો તૈયાર રહેજો તમારી દીકરી નાં ઘર નું પાણી ન પીવા માટૅ...કારણકે આજ કાલ

૧૦ માં થી ૮ ગુજરાતી ઓ કદાચ નોનવેજ ખાતા હશે...


અને આજ કાલ નાં બચ્ચાઓ તો બધા જ ખાતા હશે....


અને મને થોડા દિવસ પહેલા જ સાંભળેલી વાત યાદ આવી ગઈકે હકીકત માં એક ગુજરાતી ઘરમાં બાપ અને દીકરી

ઓ પોતે નોનવેજ બનાવતા હતા.....માતા બનાવી નહોતી ...બનાવવા માટે ના પણ પાડી નહોતી શક્તી..... કારણકે

એ લોકો એ કહી દીધુ હતુ કે અમે આના વગર નહી જીવી શકીયે......


અને મારી પાસે આનો કોઇ જવાબ ન હતો...



નીતા કોટેચા
posted by નીતા કોટેચા at 5:36 AM 6 comments

Monday, September 15, 2008





શેરબજાર ભાઈ
..........................

હમણા શેરબજાર ભાઈ ઉંધે માથે પટકાણા છેં..
બધાનાં મોટા દિવસો બગડ્યા છેં આ વખત,
આ બજાર વાળા ઓ ની એક વાત મે વર્ષો થી જોઈ છ, કે બજાર ઉપર હોય કે નીચે,અહીયા વાળા હંમેશા દુઃખી જ હોય, એ લોકો શેર્સ લે તો પણ દુઃખી હોય એને વેચે તો પણ દુઃખી હોય...
લે તો કહેશે કે, હાય, ભાવ ઉતરી ગયા...હજી નીચેમા મલત..
અને વેચે તોય દુઃખી હોય કે, હાય ભાવ વધી ગયા, હજી ઉપરમાં વેચી શકત..
કેટકેટલી.....નુકશાની કરે, તોય આનુ વ્યસન એક વાર લાગ્યુ એ આમાથી નીકળી ન શકે...
પાછો ત્યાં જ જઈને ઉભો રહે..
એમાં હવે બહેનો ને આનુ વ્યસન લાગવા મંડ્યુ છેં..

એટલે એમના ઘરનાં બચ્ચાઓ નાં વિષે વિચારો...

પહેલા બાપા હારી ને આવતા તો ગુસ્સો ઘર પર નીકળતો. હવે મમ્મી પણ ગુમાવીને આવે એટલે વગર મફત નાં ઓલા ભુલકાઓ નો વારો નીકળે...
અને એ લોકો પણ પાછા એવા જ થાય...મોટા થઈને...

હું એક સગાનાં ઘરે ગઈ હતી .
ત્યાં ચોથા ધોરણ માં ભણતુ એક બચ્ચુ ટીવી જોતુ હતું...
હુ એની રુમમાં એને મલવા ગઈ.
મને એમ કે એ કાર્ટુન જોતો હશે તો ત્યાં CNBC ચાલુ હતુ.
મને એટલુ અચરજ થયું...મે એને પુછ્યુ શું બચ્ચા કેમ ચાલે છ, મજામા?
તો એણે હાથનાં ઈશારા થી જવાબ આપ્યો એક મીનીટ ....
હુ ઉભી રહી...
પછી જરા વાર રહીને મને કહે "હા આંટી જુઓ, એકદમ મજામા"
મે પુછ્યુ "શું જોતો હતો?"
તો કહે "પપ્પા એ જે શેર્સ લીધા છે એનો ભાવ જોતો હતો.."
આજે એમના ભાવ વધ્યા...આજે ઘરમાં રામાયણ નહી થાય...
અને પછી પોતે જ હસતો હતો . મને ખબર નહોતી પડતી કે હુ શું બોલુ...
એટલી ઉથલ પાથલ મારા હ્રદય માં મચી ગઈ...
ભાઈઓ અને બહેનો કોઈ આ બજાર વાળા,ખરાબ ન લગાડે...
પણ આપણે થોડુ બદલાવાની જરુરત છે...

આપણે આપણા ઘરનું હાસ્ય અને આપણા બચ્ચાઓ નું બાણપણ બેઈ, આમા હોમીયે છેં....


posted by નીતા કોટેચા at 7:20 PM 6 comments

Thursday, September 11, 2008

પ્રાર્થના
...........
એક મંદિર માં જવાનું થયુ॥ત્યાં જોયુ બધા આંખ બંધ કરી ને પ્રાર્થના કરતા હતા।મને વિચાર આવ્યો કે ભગવાન ની મુર્તી તો દેખાય નહી, તો શું આનંદ આવે॥પ્રાર્થના પુરી થઇ એટલે મે બે ત્રણ જણ ને ઉભા રાખી ને પુછ્યુ કે "મને જરા કહેશો કે, કેમ તમે આંખ બંધ રાખો ?
જવાબ
૧) આંખ બંધ રાખીયે તો આપણને આપણા પાપ બરોબર દેખાવા લાગે તો એની માફી માંગી શકીયે।
૨) ભગવાન નાં મુખ પર નજર નથી ટક્તી જરા તાપ લાગે છે। આપણે જ એટલા પાપી છે, તો એમનાં મુખ સામે જોઈ નથી શકાતુ। એટલે આંખ પોતે જ બંધ થઈ જાય છે.
૩) કોણ આવ્યું ?કોણ ગયું? એમાં જીવ જાય છે . પછી પ્રાર્થના માં જીવ નથી રહેતો.એટલે આંખ જ જો બંધ રાખીયે તો કાંઇ ચિંતા તો નહી, શું થાય છે મંદિર માં...

મને એમ થયુ કે બધા કહે કે મંદિર માં જવાથી શાંતી મલે છે પણ મને એમ લાગે છે મંદિર માં પણ શાંતી ત્યારે જ મલતી હશે જો ભગવાન અને આપણા પોતાના સિવાય ત્યા ત્રીજુ કોઇ હોય જ નહી..
posted by નીતા કોટેચા at 9:10 PM 4 comments

Monday, September 1, 2008


પણ માફી માંગવાની કોની?

........................................


આખાં વર્ષનું એક દિવસ મા ભેગું જમી શકીયે ?


આખાં વર્ષનાં વિચારો એક દિવસમાં ભેગાં કરી શકીયે ?


આખાં વર્ષનો પ્રેમ એક દિવસમા થઈ શકે?


તો આખું વર્ષ ભૂલ કરી હોય તો, માફી એક વાર માંગવાથી અને એક દિવસ માંગવાથી કેવી રીતે મળી શકે?


જે કહેવાય છે કે ગંગાજી માં સ્નાન કરવાથી પાપ ધોવા જાય..આવી જ આ વાત છે.


ઠીક છે ચાલો..એ પણ માન્યું કે માફી માંગવી એ સહેલી વાત નથી..એટલે એક દિવસ નક્કી થયો કે આ દિવસે માંગવાની...


પણ માફી માંગવાની કોની?


આપણો અંતરઆત્મા બધું જાણતો હોય છે કે આપણે સાચ્ચામા કોની માફી માંગવી જોઈયે..આપણે કોને આકરા શબ્દો બોલ્યા છેં...



કોને આપણાં શબ્દોથી દુખ થયુ છેં..


પણ મે છેલ્લાં કેટ્લા વર્ષો થી જોયું છે કે જે બે મિત્રો વર્ષો થી વા નથી કરતા હોતા એમના અબોલા હજી અકબંધ હોય છે.

બધાં પોત પોતાની રીતે સાચ્ચાહોય છેં.

હવે મારો જ દાખલો આપું ને..મને શિવાંસકહ્યુ કે મે ભૂલ કરો છો..મને કેટલું ખરાબ લાગી ગયું..પણ આજે હું એની માફી માંગું છું કે ભાઈ તુ તારી રીતે સાચો હતો ..મે ખાલી બધાની સામે ચર્ચા કરી.


ને પોતોને કેટલું હલકું લાગે છે મારું મન, પણ હુ ખાલી એક સંદેશ મૂકી દઉ કે સર્વ ને "મિચ્છામિદુક્કડમ"....


કોઇ મતલબ નથી રહેતો..મિત્રો જેની સાથે મતભેદ હોય કે મનદુઃખ્ , મહેરબાની કરીને એને "મિચ્છામિદુક્કડમ".... કહેશો..તો આજનો દિવસ સાર્થક થયો ગણાવીશ



posted by નીતા કોટેચા at 10:48 PM 9 comments

ક્યારે બદલશું આપણે??????????????




























ક્યારેક એવુ પણ થાય કે આપણા મનમાં કંઇક વાત ચાલતી હોય અને એ બીજા કહી દે..એવુ જ મારી સાથે થયું. હમણા હવે ગણેશજી નાં દિવસો આવ્યાં.

મારે જે કહેવુ હતુ એ અખિલ ભાઈ એ બહુ અસરકારક રીતેકહી દીધુ ....કે જે મન પર વધારે અસર કરશે.

જ્યારે લાંબી લાંબી લાઈન લગાડીને દર્શન માટે જાઇયે છીયે ત્યારે બધુ, સારુ સારુ જ લાગે છે..પણ જે મુર્તી ઓ પાસે ઉભા રહીને જિંદગી ભર ની ખુશી માંગીયે છીયે એની હાલત શુ થાય છે એ તો જુઓ..

posted by નીતા કોટેચા at 4:41 AM 5 comments