મનનો આક્રોશ

Thursday, July 28, 2016

ધર્માંતરણ ક્યારે બંધ થાશે આ બધું ?

    જો ભગવાન જેવું કઇક  છે અથવા અલ્લાહ ખુદા જેવું કઈક છે તો પછી જમીન પર રહે છે એ પોતાને શું કામ ભગવાન કે અલ્લાહ માને છે . અને લોકોને ધર્માંતરણ કરાવે છે.. કઈક વિચારીને જ આપણને આપણા ધર્મ માં જન્મ આપવામાં આવ્યો હશે તો જે છે એને બદલાવાની વાત શું કામ કરવાની ? અને બીજા નાં ધર્મ માં જવાથી તમે કદાચ અલ્લાહ ને રાજી કરશો પણ શું ભગવાનને નારાજ નહિ કરો. કોઈ એક માતા નાં આંસુ પાડીને લોકોને શું મળે છે ? ક્યા ભગવાન કે કયા ખુદાને ગમશે કે તમે કોઈ માતા ની આંખ માં આંસુ લાવશો ?
  ક્યારે બંધ થાશે આ બધું ? આજે પણ કેટલાયે મુસલમાન છે કે જેઓ કોઈના ધર્માંતરણ માં માનતા નથી અને તમે હિંદુ છો તો પણ તમારા સાચ્ચા મિત્રો હોય છે . આ વાતો જ્યારે સાંભળીયે છે ત્યારે બધા મુસલમાનો માટે એક ડર બેસી જાય છે અને વચ્ચેની દીવાલ મજબુત થતી જાય છે.. જ્યાં જેમનો જન્મ થયો છે ત્યાં તે પોતાના ધર્મને સંભાળે એ જ બરોબર રહે અને કદાચ ધર્મ માં પણ ન માને તો પણ કઈ નહિ પણ પોતાના માતા પિતા પ્રત્યેની ફરજ ન ભૂલે એ જ બહુ મોટી વાત છે .. પણ ધર્માંતરણ કરાવવા વાળા ઓ માં માણસાઈ નથી રહી અને કરવા વાળા ઓ માં તો બુદ્ધિ જ નથી હોતી કે એ બીજાઓ ની વાતો માં આવી જાય છે અને બધી ફરજ મુકીને એક મંઝીલ વગરનાં રસ્તા પર ચાલી નીકળે છે . એમનો એક ફેંસલો કેટલા લોકો દુખી થાય છે એ તેમને વિચાર નથી આવતો . એ બાળક નાં  જન્મ વખતે જે માતા પિતા પોતાને ધન્ય માનતા હોય છે એ જ માતા પિતા ફક્ત લોહીનાં આંસુ રડે છે .

  આ લેખ લખવાનો એક જ આશય છે કે જે હમણાં જાકીર નાયક ની વાતો સાંભળીયે છે ત્યારે દુ:ખ થાય છે .. પબ્લિક માં લખવાથી બહુ તકલીફો નો સામનો કરવો પડે એમ છે એટલે અહિયાં લખીને એક ઉભરો કાઢવાની કોશિશ કરી છે 
posted by નીતા કોટેચા at 8:19 AM 0 comments