મનનો આક્રોશ

Thursday, August 5, 2010

આજે બહુ વખતે બ્લોગ પર કંઇક લખી રહી છુ અને એ પણ આક્રોશ જ...

થોડો વખત પહેલ એક સગાને ત્યા સાસુ જી નો ૬૦ મો જન્મ દિવસ ઉજવતા હતા ત્યાં જવાનું થયું..ખૂબ સુંદર રીતે ઉજવ્યો..સાસુ જી ખુશ ખુશ થઈ ગયાં..પછી વારો આવ્યો જમણવારનો..જમવા ગઇ ત્યાં જઈને જોયુ તો મને અચરજ અને ગુસ્સો બંને બહુ જ આવ્યા..ભલે એનુ મહત્વ ન હોય કાંઇ પણ આવ્યો ખરી..શરૂઆત આપણે સલાડથી કરીયે..જેવી ત્યાં ગઈ તો જોયુ નહી નહી તો ૧૫ જેટ્લા કચુંબર હતા..પણ જેવી કાંદા પાસે ગઈ તો મે જોયુ એની પર તુલસીજી ના પત્તા પાથર્યા હતા..મારુ મગજ ફરી ગયું..કાંદા પર તુલસીજી..મે પૂછ્યું આ કેમ તુલસીજી કાંદા પર. તો કહે કાંદાની વાસ ન આવે એટલે..શું કહેવુ બોલો? કાંદા જે ચુસ્ત ધર્મ પાળતા હોય એ તો ખાય જ નહી.પણ જે ધર્મ ન પાળતા હોય એ પણ તુલસીજી, કાંદા પર ન છાંટે...મન ખરાબ થઇ ગયું..કાંઇ ખાય ન શકી..પણ જો આપણાં માં થી કોઇને પણ ત્યાં પ્રસંગ હોય તો કેટરીગ વાળા ને જરૂર કહી દેજો કે મહેરબાની કરીને તુલસીજી ને ન અભડાવતા..

કોઇ કમેન્ટ ન આપતા મે કમેન્ટ સિસ્ટમ બંધ કરી છે કારણ કેટલાક ગભરુ લોકો બીજાના નામ પર બ્લોગ પર પોતે કમેન્ટમાં કાંઇ પણ લખતા હોય છે॥

નીતા કોટેચા

posted by નીતા કોટેચા at 9:35 AM 0 comments