મનનો આક્રોશ

Friday, November 28, 2008

આ લોકો ફક્ત એક જનુની આતંકવાદી છે

આ લોકો ની કોઈ જાત નથી..આ લોકો નો કોઈ ધર્મ નથી..
કોઇ ન કહો કે એ મુસ્લિમ છે કે બીજાં કાંઇ છે..
આ લોકો ફક્ત એક જનુની આતંકવાદી છે ..
એ કોઇ પણ દેશ નાં હોઇ શકે છે...
આ બચ્ચાં જે આવ્યા છે એ ૧૭ થી ૨૨ વર્ષનાં છે..
ભણતર ઇંગ્લેડ માં થયું છે..
વિચારી ને જુઓ જરા કે,
એમની મગજ ની કેવી હાલત કરી હશે એમના થી ઉપરના ઓ એ કે,
એ લોકો મરવું છે એ નક્કી કરીને આવ્યા છેં..
મને તો દયા આવે છે આ બાળકો પર...એમને સીખડાવનાર બીજા છેં..
આપણું બાળક બગડે તો વાંક આપણો હોય્...બાળક નો નહી ..
એમ આ લોકો ને પોતાનાં જીવન ની કાંઇ ચીંતા નથી ..હદ કહેવાય..
શું હશે આ લોકો નું જીવન..ક્યારેક વિચારીયે તો ભેજુ કામ નથી કરતુ...
નીતા કોટેચા
posted by નીતા કોટેચા at 6:12 PM 4 comments

Thursday, November 27, 2008

ક્યાં ખોવાઈ ગયા

આપણે અંદર અંદર જગડવાનું બંધ કરશુ તો જ બહાર વાળા ફાયદો નહી ઉઠાવે...

કયાં છે રાજ ઠાકરે ભાઈ કે, જે જવાન નેતા છે કાંઇક બદલાવ લાવશે એમ વિચારીને એમને વોટ આપ્યો હતો..અને એ ભારત નાં જ ભાગલા કરાવા બેઠા..૨ દિવસ થી તો ક્યાંય પત્તો નથી એ ભાઈ નો...મારુ ..મારુ મુંબઇ કરીને... બુમો પાડતા હતા.હવે મુંબઈ ની હાલત ખરાબ છે ત્યારે ક્યાં ખોવાઈ ગયા????

નીતા કોટેચા
posted by નીતા કોટેચા at 5:30 PM 1 comments

આતંક વાદ શું છે?

હંમેશા જ્યારે આ ઘટના થાય ત્યારે આપણે આ બધી ચર્ચા કરતા હોઈયે છે..પણ બે દિવસ પછી આપણે બધુ ભુલી જાઈયે છેંં..ઘરનાં ડાઇનીંગ ટેબલ પર બેસી દાળઢોકળી ખાતા ખાતા આપણે આપણા સીસ્ટમ ની બુરાઈ ગોતીયે છેં..અરે ૯.૫ ની લોકલ મોડી આવે તો આપણે કહીયે છે કે શું કરે છે આપણી સરકાર...ભઈલા તે શું કર્યુ અત્યાર સુધી દેશ માટે એ તો કહે..એક જુલ્મ ની વિરુધ્ધ અવાજ ઉઠાવાની તાકાત તો છે નહી ..પણ સરકાર શું કરે છે એ બોલતા જાણે બરોબર આવડી ગયુ છેં...ત્યાં હમલા ચાલતા હોય તો એક સમય નું ભોજન આપણે છોડી નથી શક્તા...અને વાતો મોટી મોટી કરતા આવડે છે ખાલી...અરે એ લોકો મર્યા છે ..ચલ હવે એની માટે કાંઇક ભેગુ કરીને એના ઘર સુધી તો પહોચાડી આવ...ના એ તો સરકાર સંભાળશે ને..અરે ભઈલા એમની આત્મા ને શાંતી મળે એ પ્રાર્થના તો કર..અરે સમય ક્યાં છેં...હવે એમણે સારુ કામ કર્યુ છે તો એમનુ સારુ જ થાશે ને...મારે તો મારા બચ્ચા ઓ ને સંભાળવા પડશે ને...અરે ભઇલા તો શું કામ સીસ્ટમ ની રામાયણ કરે છેં..કમસેકમ મુંગો તો રહે...એટલુ તો કરી જ શકે છે તુ...આપણે તો મુંગા રહીને પણ આપણા દેશ ને સાથ નથી આપતા..અરે નેતા ઓ કાંઇ નથી કરતા ચલો માન્યુ કે એ કાંઇ નથી કરતા..તો તે એ ખુરશી પર બેસવાની ક્યારેય મહેનત કરી ..ના...બસ ખાલી વાતો વાતો ને વાતો...આપણે કહીયે કે શું ધ્યાન રાખે છે આપણા માણસો કે આમ આ લોકો ગુસી આવે છે ...મને કહો કે ક્યાં ક્યાં ધ્યાન રાખે એ લોકો..આટલો મજબુત દેશ પન એમનુ W.T.C નહોતા બચાવી શક્યાં..મહેરબાની કરીને હુ બધા ને કહુ છુ કે પોતાની છાપ પાડવા માટે કે મને બોલતા સારુ આવડે છે ક્યાંય પણ ઉભા રહીને ચાલુ ન થઈ જાવ..પહેલા પોતે વિચારો કે મે કાંઇ ફાળો આપ્યો છે...પછી જ તમને બોલવાનો હક્ક છેં...આ મારી વિનંતી ગણો તો વિનંતી અને આક્રોશ ગણો તો આક્રોશ...
નીતા કોટેચા
--
posted by નીતા કોટેચા at 4:57 AM 4 comments

Wednesday, November 5, 2008

ઓબામા

ગાંધીજી જ્યાં હશે ત્યાં ખુશ થતા હશે કે, ક્યાકનાં પણ કાળીયાએ આખરે ગોરીયા ઓ નુ હ્રદય જીતી જ લીધુ.

મને તો એમ થાય છે કે ઓબામા, ગાંધીજી તો નથી ને...

નીતા કોટેચા...



posted by નીતા કોટેચા at 8:40 PM 6 comments