મનનો આક્રોશ

Wednesday, September 24, 2008

અને મારી પાસે આનો કોઇ જવાબ ન હતો...
...........................................................

અમારુ મિત્ર વર્તુળ નાનુ છે પણ મજાનું છેં ...

અમે લોકો બધા જ્યારે મલીયે ત્યારે કોઇ ને કોઇ વાત પર અમે બધા ચર્ચા કરીયે...

અને કોઇ એક વાત પર સર્વ સમંતી થી નક્કી કરીયે કે હા આ બરોબર છેં અમારા બાળકો પણ અમારી સાથે એ ચર્ચા માં ભાગ લે...ખુબ આંનદ આવે....


એ ચર્ચા ક્યારેક રાજકરણ પર હોય....

ક્યારેક સાસુ વહુ પર હોય

ક્યારેક સાથે રહેવુ સારુ કે અલગ રહેવુ સારુ એના પર હોય...


ક્યારેક આપણે ક્યાંક્યાં સ્વાર્થ આપનાવ્યો છેં એના પર હોય....


ક્યારેક બધા પોતાનાં ગુન્હા કબુલ કરે એવો દિવસ રાખીયે....

આવુ કાંઇક નવુ કરતા રહીયે...જ્યારે મલીયે ત્યારે...

ક્યારેક એ મુલાકાત મહીના માં એક વાર થાય તો ક્યારેક એ મુલાકાત છ મહીને એક વાર થાય....

પણ ગમે, બધાનાં વિચારો જાણવા મળે.....

આપણા બાળકો શું વિચારો ધરાવે છે એ ખબર પડે...


અમારા મિત્ર વર્તુળ માં એક જોડી મુસલમાન છે...

હમણા જ્યારે છેલ્લે મલ્યાં ત્યારનો વિષય હતો કે નોનવેજ ખાવુ જોઇયે કે નહી ....

અમારી ચર્ચા આ પ્રમાણે હતી....


મે કહ્યુ ક્યારેય ન ખવાય ....એની માટે વિચારવુ પણ પાપ છેં .....

અમારા મુસલમાન મિત્ર નું કહેવુ હતુ કે અમાર ધર્મ માં એને પાપ નથી ગણાતુ તો અમે કેમ માનીયે?


મે કહ્યુ "ધર્મ માં ભલે નથી કહેવાતુ પણ મને એક વાત નો જવાબ આપો તમારુ કાળજુ ન કપાઈ જાય જ્યારે તમારી

સામે કોઇ એક માણસ મુરગી ની મુંડી કાપે અને પછી એનાં પીછા કાપે અને અંદર થી ... "

મારાથી આગળ બોલાણુ પણ નહી...



તો અમારા એ મિત્ર એ કહ્યુ કે "જુઓ ભાભી અમને એવુ કાંઇ ન થાય..તો અમે શું કરીયે? "

મને એ વાત નો જવાબ આપો જો તમારી દીકરી ને કોઇ છોકરો પસંદ પડે અને એ નોન વેજ ખાતો હશે તો તમે શું કરશો? "


મે કહ્યુ "મે મારી દીકરી ને સમજાવ્યુ છે કે, જો તમે કોઇ મચ્છી માર્કેટ પાસે થી નીકળો છો તોય તમારાથી એ વાસ

સહન નથી થાતી તો તમે એવા લોકો નાં ઘર માં કેવી રીતે રહી શકશો.......

તો પ્રેમ કર્યા પહેલા વિચારજો કે તમે તમારુ આખુ જીવન દાવ પર લગાવો છો...... "


અને મે એ મારા એ મિત્ર તરફ જોઇને કહ્યુ કે "મને એક વાત કહો હુ તમને એક દુધ નો ગ્લાસ આપુ અને તમે એ દુધ

પીતા હો અને તમારા નાક ની નસકોરી ફુટે અને એ લોહી નાક માં જાય તો શું તમે એ દુધ પી જાશો?(આ કોઇ સંત નુ

બોલેલુ વાક્ય છે જે સાંભળ્યુ હતુ એ ત્યારે યાદ આવી ગયું) "


તો એમણે મોઢુ બગાડ્યુ કે શું ભાભી એ કેમ પીવાય ?


તો મે કહ્યુ તમે તમારુ લોહી નથી પી શક્તા પણ બીજાને ચીરી ને ખાઈ શકો છો?


તો એમની પાસે કોઇ જવાબ ન હતો॥મને એમ થયુ કે હુ એક જણ ને નોન વેજ ખાવામાથી બહાર કાઢી શકી..અને મનમાં રાજી થાતી હતી..



ત્યાં એ ભાઈ બોલ્યા। "મને એક વાત કહો ભાભી વિચારી લ્યો કે તમારી દીકરી જેને પરણી એનાં ઘરમાં નોન વેજ

ખવાતુ હશે તો શું કરશો? "



મે કહ્યુ હુ એનાં ઘર નું પાણી પણ નહી પીવુ .... એને ખાઈ માં પડવુ હોય તો હુ એને બચાવવાની પુરી મહેનત કરીશ

પણ જો તોય એવુ પાત્ર મલ્યુ તો કમસેકમ હુ તો એનાં ઘર નું પાણી પણ નહી પીવું......


તો એ ભાઈ એ જવાબ આપ્યો ભાભી તો તૈયાર રહેજો તમારી દીકરી નાં ઘર નું પાણી ન પીવા માટૅ...કારણકે આજ કાલ

૧૦ માં થી ૮ ગુજરાતી ઓ કદાચ નોનવેજ ખાતા હશે...


અને આજ કાલ નાં બચ્ચાઓ તો બધા જ ખાતા હશે....


અને મને થોડા દિવસ પહેલા જ સાંભળેલી વાત યાદ આવી ગઈકે હકીકત માં એક ગુજરાતી ઘરમાં બાપ અને દીકરી

ઓ પોતે નોનવેજ બનાવતા હતા.....માતા બનાવી નહોતી ...બનાવવા માટે ના પણ પાડી નહોતી શક્તી..... કારણકે

એ લોકો એ કહી દીધુ હતુ કે અમે આના વગર નહી જીવી શકીયે......


અને મારી પાસે આનો કોઇ જવાબ ન હતો...



નીતા કોટેચા
posted by નીતા કોટેચા at 5:36 AM

6 Comments:

આખી દુનીયા નોન વેજ ખાય છે. આપણા દેશમાં પણ લોકો ખાતા હતા અને હજુ ખાય છે - બ્રાહ્મણો પણ ...
હું પોતે ખાતો નથી , પણ કોઈ ખાય તેની સામે વીરોધ કરું, એ એક જાતનો હઠાગ્રહ જ કહેવાય.


suresh dadaji

September 24, 2008 at 5:53 AM  

દેશભરમાં નાનાં-મોટાં ૩૬૦૦૦ કતલખાનાં છે, તેમાં દેવનાર સહિત ૧૦ કતલખાનાં મશીનરી ધરાવનારાં છે. તે બધામાં રોજ રોજ અઢી લાખ જનાવરોની કતલ થાય છે, તેનું ૩ લાખ ટન માંસ દર વર્ષે ભારતના માંસાહારીઓ ખાય છે. દેવનારમાં ૨૫ લાખ પ્રાણીઓની કતલ દર વર્ષે થાય છે. ઉપરાંત દર વર્ષે સવા લાખ ઢોર કપાય છે. માંસાહાર કરનારા અને રેસ્ટોરાંમાં નોનવેજની સ્વાદિષ્ટ વાનગી ખાનારાને ખબર નથી કે કતલખાનામાં મારી નખાતાં પ્રાણીમાં ૪૫ ટકાને ગેંગરિન હોય છે. ઘણા બીમાર હોય છે. તેના શરીરમાં અનેક રોગ હોય છે. આ માહિતી આપતાં પ્રાણીદયાની ઝુંબેશ ઉપાડનારાં ઇન્દિરા ગાંધીનાં પુત્રવધૂ મેનકા ગાંધી કહે છે કે દિલ્હીનાં કતલખાનાંમાં તો કાટ ખાધેલાં છરાં વપરાતાં હતાં તેની તપાસ સુપ્રીમ કોટર્ે કરાવી હતી.
એરિક શ્લોસરના પુસ્તક ‘ફાસ્ટફૂટ નેશન’માં કમકમા આવે તેવી વિગત છે...ભેટ આપવા જેવું પુસ્તક
Pragnaju

September 24, 2008 at 6:17 AM  

Does any religion support violence? And what about the diseases the animal may have? Those taking support of Dharma argues to eat nonveg, do they wish to take support in all other matters where the relegion says to cut the hand for the theaft ?
To me it seems that this is an individual matter.

September 24, 2008 at 6:18 AM  

thanks
i have read ur artical
wonderfull
full of feeling and every one has to learn out of it
thanks

neetamehta & praful mehta

September 25, 2008 at 2:18 AM  

આપણામાં કહેવત છે ને કે
અન્ન તેવા ઓડકાર. આ વાત જો સમજમાં આવે તો લોકો નૉનવેજ ખાવાનું કદાચ છોડી દે.

September 26, 2008 at 12:24 AM  

મારું માનવું છેકે આપણે આપણા સંતાનોને પ્રેમથી સમજાવવામાં ઊણા ઉતરીએ છીએ, નહીં તો આવી પરિસ્થિતિ તો ન જ આવે.

October 9, 2008 at 9:04 PM  

Post a Comment

<< Home