મનનો આક્રોશ

Wednesday, October 29, 2008

શું કરવુ જોઈયે ???
........................

મારી એક friend છેં, એણે એક સંત ને કે એક મુની ને, મારે એ બાબત ચોખવટ નથી કરવી..

પણ એણે એક વ્યક્તી ને પોતાનાં ગુરુ તરીકે માન્યા છેં...

હવે તેને ખબર પડી કે, એ વ્યક્તી બહુ ખોટા કામ કરે છેં... મને કહે શું કરુ?

મે કહ્યુ "એને છોડી દે..."

તો કહે "ના ગુરુ તો જિંદગી ભર એક જ હોવા જોઈયે..."

મે પુછ્યું "પછી ભલે એ ખોટું કરે"..

તો કહે "હા,વારે વારે બદલાવાય નહી.."

મે કહ્યુ "આવો નિયમ કોણે બનાવ્યો છેં?"

તો કહે "કોઇએ નહી... પણ આપણો પતિ કાંઇ ખોટું કરે તો આપણે ચલાવીયે જ છે ને???

અને પત્ની ખોટું કરે તો પતિ પણ ચલાવી લે છે....તો ગુરુ નું કેમ નહી.... "

શું જવાબ આપવો????


કારણ, પતિ અને પત્ની ધર્મ ના રખેવાળ નથી હોતા એટલે એમની ભુલ ક્ષમા ને યોગ્ય છેં ...

પણ ગુરુ ખોટું કરે તો પણ કેમ એના વિરુધ્ધ આપણે જતા નથી.. એ કોઈ પણ ધર્મ ના હોય????????

શું આપણે, ગુરુ થી ડરીયે છે એટલે????

આપણે એમને પ્રેમ કરીયે છે એટલે???

કે

આપણે એક આંધળો ભરોસો એમના પર કરી દીધો છે એટલે????


ગુરુ ની ભૂલ ને, પતિ અને પત્ની ની ભૂલ સાથે સરખામણી મા લેવાય???



નીતા કોટેચા


posted by નીતા કોટેચા at 1:50 PM 6 comments

Saturday, October 18, 2008

બાળમાનસ
........................

ટીવી માં આવતી સીરીયલો મા થી બાળકો શું વિચારે છેં એ પણ જાણવા જેવું છેં...

મમ્મી પપ્પા નો આગ્રહ હતો કે એમનાંબાળકો રોજ આવતી સીરીયલ રામાયણ અને મહાભારત જોવે..

પોતાંને તો સમય હોય નહી એટલે એ લોકો સંસ્કાર એ ડબ્બા મા થી લેવા માટે કહે..

આવા જ એક ઘર માં મારે જવાનું થયું..

બાળકો બેઠા બેઠા સીરીયલ જોતા હતા..

સીરીયલ પુરી થઈ...

જાણે એક home work પુરુ કર્યું એવો ભાવ મે બચ્ચાઓનાં મોઢાં પર જોયો..

મમ્મી પપ્પાવખાણ કરતા હતા કે અમે તો આ એક આદત રાખી જ છે કે આ સીરીયલ તો જોવાની જ...

બધા વાતો માં પડ્યા..

હુ બધાની નજર બચાવીને બચ્ચાઓ પાસે ગઈ...

મે પુછ્યું "તમને કઈ વાત વધારે ગમી આ સીરીયલ માં"

તો કહે "રામાયણ માં મને તો હનુમાન જી બહુ ગમ્યા.

અને મહાભારત માં મને બધા જ ગમ્યાં..."

મે પુછ્યુ " શું ન ગમ્યું ?"

તો જે જવાબ મલ્યો એ સાંભળીને મને બહુ જ અચરજ થયું

મને એ બચ્ચા ઓ "કહે કે અમને એક વિચાર આવે છેં પણ કહીયે કોને...?"

મે કહ્યું "મને કહો.."

તો કહે "રામાયણ માં યુધ્ધ થયું, કારણ કે રાવણ, સીતા માતા નું હરણ કરી ગયાં હતા...

અને મહાભારત માં યુધ્ધ થયું...કારણકે પાંચાલી નું અપમાન થયું હતુ...

તો અમનેએમ વિચાર આવે છે કે તેઓ રામ ભગવાનનાં પત્ની હતા અને ત્યાં પાંડવો નાં પત્ની હતા એટલે આ યુધ્ધ થયું..પણ આખાં ગામ માં જો બીજી કોઇ ની પત્ની સાથે આ થયું હોત તો આ યુધ્ધ થાત?

અને બીજાં કેટલાં લોકો એ યુધ્ધ માં મરણ પામ્યા..તો શું એ લોકો ને તકલીફ નહી થઈ હોય...."

શું જવાબ આપુએ મને પણ ન સમજાણું...

ત્યારે તો મને કોઈકે બોલાવ્યું એટલે મારે ત્યાં થી ચાલ્યું જવું પડ્યું..પણ હવે જ્યારે એ બાળકો પાછાં મળશે ત્યારે એ લોકો મને પૂછશે તો હું શું જવાબ આપું???

શું આપ લોકો આ બાળમાનસ માને એવો કોઇ જવાબ આપી શકશો મને???

અને શું એ લોકો નાં વિચાર ને ખોટો ગણાવાય??

કે પછી પાછું હંમેશ ની જેમ એનેચુપ કરી દેવા નાં કે તને ન સમજણ પડે...

કે પછી માતા પિતા એ શીખવા જેવુ છે કે જ્યાં બાળકો નાં સવાલો નાં સમાધાન થાય એવી જ જગ્યાએ એમને આપણાં સંસ્કાર આપવા માટે મોકલાવો..નહી તો આવા કેટલાક સવાલો એમને જિંદગી ભર હેરાન કરશે...


નીતા કોટેચા
posted by નીતા કોટેચા at 11:56 AM 6 comments

Wednesday, October 8, 2008


નોનવેજ ભાગ (૨)
................................

નોનવેજ માટે મે જે વાત લખી હતી એમાં બહુ ઓછાં લોકો એ પોતાનાં પ્રતિ ભાવ આપ્યા..તો મને થયુ કે કદાચ વધારે લોકો ખાતા હશે એટલે જ પ્રતિ ભાવ નથી આવ્યા..પણ ૫ દિવસ રહીને મને mail આવવાના શરૂ થયાં...
એમાંથી જે mail થી હ્રદય ને વધારે દુખ થયુ એ આપને જણાવું છું...
એક વડીલ બા નો mail આવ્યો..
નીતા, કેટલાં વખત થી જે વાત મારા મનમાં ચાલતી હતી અને જે હું કોઈને નહોતી કહી શકતી એ આજે તે કહી દીધી....
મારા દીકરા,વહુ એમનાં બાળકો અને મારી દીકરી જમાઈ બધાં જ ખાય છેં મને બહુ દુખ થાય છેં પણ કોઈ માનતું નથી....
હુ આ વાત ને લયને ખૂબ જ દુખી થાવ છું પણ એમને કાંઇ કહેવા જેવું નથી રહ્યુ હવે એ લોકો મોટાં થઈ ગયાં છે ને...
બીજો MAIL આવ્યોં
હું એક ૮૦ વર્ષ ની ઉમર નો દાદો છું...
અને મરવા ની રાહ જોવ છું
નીતા, દીકરા તને એમ થશે કે હું થું કામ આવું કહુ છું પણ ઘર મા આ નોનવેજ ની વાસ સહન નથી થતી ઘરમા ખાવાનું નથી ભાવતું. તોય એ લોકો નું જમવાનું થઈ જાય પછી હું ઘરે આવું.
નીતા જ્યાં સુધી તારા દાદી જીવતા હતા ત્યાં સુધી એ મને અલગ જમ્વાનું બનાવી આપતા હતાં,
પણ હવે તો મારે એ જ વાસણ માં બનાવેલું ખાવું પડે છે ..અને હું એમને કહુ છું કે મને વ્રુધ્ધાશ્રમ માં મૂકી આવો તો એમની ઇજ્જત જાય છેં...
જીવવું ભારે થઈ ગયું છે...
મને એમનાં આંસું જાણે mail માં દેખાતા હતા...
મને એ નથી સમજાતુ કે જે બાળકો ને આપણે નાનપણથી હાથ માં રાખીને મોટાં કર્યા આપણે જેને આપણે જ બંધુ સીખડાવ્યું...
એ જ બાળકો હવે આપણી શું હાલત હોય એ કેમ ન સમજે...અને કેમ આપણી વાત ન માને..
એ લોકો કેમ નથી સમજતા કે કોઈ દિવસ પણ એ લોકો માતા..પિતા કરતા મોટાં તો નહી જ થઈ શકે...
posted by નીતા કોટેચા at 9:45 PM 6 comments