મનનો આક્રોશ
Wednesday, September 24, 2008
...........................................................
અમારુ મિત્ર વર્તુળ નાનુ છે પણ મજાનું છેં ...
અમે લોકો બધા જ્યારે મલીયે ત્યારે કોઇ ને કોઇ વાત પર અમે બધા ચર્ચા કરીયે...
અને કોઇ એક વાત પર સર્વ સમંતી થી નક્કી કરીયે કે હા આ બરોબર છેં અમારા બાળકો પણ અમારી સાથે એ ચર્ચા માં ભાગ લે...ખુબ આંનદ આવે....
એ ચર્ચા ક્યારેક રાજકરણ પર હોય....
સામે કોઇ એક માણસ મુરગી ની મુંડી કાપે અને પછી એનાં પીછા કાપે અને અંદર થી ... "
સહન નથી થાતી તો તમે એવા લોકો નાં ઘર માં કેવી રીતે રહી શકશો.......
પીતા હો અને તમારા નાક ની નસકોરી ફુટે અને એ લોહી નાક માં જાય તો શું તમે એ દુધ પી જાશો?(આ કોઇ સંત નુ
બોલેલુ વાક્ય છે જે સાંભળ્યુ હતુ એ ત્યારે યાદ આવી ગયું) "
ખવાતુ હશે તો શું કરશો? "
પણ જો તોય એવુ પાત્ર મલ્યુ તો કમસેકમ હુ તો એનાં ઘર નું પાણી પણ નહી પીવું......
૧૦ માં થી ૮ ગુજરાતી ઓ કદાચ નોનવેજ ખાતા હશે...
ઓ પોતે નોનવેજ બનાવતા હતા.....માતા બનાવી નહોતી ...બનાવવા માટે ના પણ પાડી નહોતી શક્તી..... કારણકે
એ લોકો એ કહી દીધુ હતુ કે અમે આના વગર નહી જીવી શકીયે......
Monday, September 15, 2008
શેરબજાર ભાઈ..........................
હમણા શેરબજાર ભાઈ ઉંધે માથે પટકાણા છેં..
બધાનાં મોટા દિવસો બગડ્યા છેં આ વખત,
આ બજાર વાળા ઓ ની એક વાત મે વર્ષો થી જોઈ છ, કે બજાર ઉપર હોય કે નીચે,અહીયા વાળા હંમેશા દુઃખી જ હોય, એ લોકો શેર્સ લે તો પણ દુઃખી હોય એને વેચે તો પણ દુઃખી હોય...
લે તો કહેશે કે, હાય, ભાવ ઉતરી ગયા...હજી નીચેમા મલત..
અને વેચે તોય દુઃખી હોય કે, હાય ભાવ વધી ગયા, હજી ઉપરમાં વેચી શકત..
કેટકેટલી.....નુકશાની કરે, તોય આનુ વ્યસન એક વાર લાગ્યુ એ આમાથી નીકળી ન શકે...
પાછો ત્યાં જ જઈને ઉભો રહે..
એમાં હવે બહેનો ને આનુ વ્યસન લાગવા મંડ્યુ છેં..
એટલે એમના ઘરનાં બચ્ચાઓ નાં વિષે વિચારો...
પહેલા બાપા હારી ને આવતા તો ગુસ્સો ઘર પર નીકળતો. હવે મમ્મી પણ ગુમાવીને આવે એટલે વગર મફત નાં ઓલા ભુલકાઓ નો વારો નીકળે...
અને એ લોકો પણ પાછા એવા જ થાય...મોટા થઈને...
હું એક સગાનાં ઘરે ગઈ હતી .
ત્યાં ચોથા ધોરણ માં ભણતુ એક બચ્ચુ ટીવી જોતુ હતું...
હુ એની રુમમાં એને મલવા ગઈ.
મને એમ કે એ કાર્ટુન જોતો હશે તો ત્યાં CNBC ચાલુ હતુ.
મને એટલુ અચરજ થયું...મે એને પુછ્યુ શું બચ્ચા કેમ ચાલે છ, મજામા?
તો એણે હાથનાં ઈશારા થી જવાબ આપ્યો એક મીનીટ ....
હુ ઉભી રહી...
પછી જરા વાર રહીને મને કહે "હા આંટી જુઓ, એકદમ મજામા"
મે પુછ્યુ "શું જોતો હતો?"
તો કહે "પપ્પા એ જે શેર્સ લીધા છે એનો ભાવ જોતો હતો.."
આજે એમના ભાવ વધ્યા...આજે ઘરમાં રામાયણ નહી થાય...
અને પછી પોતે જ હસતો હતો . મને ખબર નહોતી પડતી કે હુ શું બોલુ...
એટલી ઉથલ પાથલ મારા હ્રદય માં મચી ગઈ...
ભાઈઓ અને બહેનો કોઈ આ બજાર વાળા,ખરાબ ન લગાડે...
પણ આપણે થોડુ બદલાવાની જરુરત છે...
આપણે આપણા ઘરનું હાસ્ય અને આપણા બચ્ચાઓ નું બાણપણ બેઈ, આમા હોમીયે છેં....
Thursday, September 11, 2008
મને એમ થયુ કે બધા કહે કે મંદિર માં જવાથી શાંતી મલે છે પણ મને એમ લાગે છે મંદિર માં પણ શાંતી ત્યારે જ મલતી હશે જો ભગવાન અને આપણા પોતાના સિવાય ત્યા ત્રીજુ કોઇ હોય જ નહી..
Monday, September 1, 2008
પણ માફી માંગવાની કોની?
........................................
આખાં વર્ષનું એક દિવસ મા ભેગું જમી શકીયે ?
આખાં વર્ષનાં વિચારો એક દિવસમાં ભેગાં કરી શકીયે ?
આખાં વર્ષનો પ્રેમ એક દિવસમા થઈ શકે?
તો આખું વર્ષ ભૂલ કરી હોય તો, માફી એક વાર માંગવાથી અને એક દિવસ માંગવાથી કેવી રીતે મળી શકે?
જેમ કહેવાય છે કે ગંગાજી માં સ્નાન કરવાથી પાપ ધોવાઇ જાય..આવી જ આ વાત છે.
ઠીક છે ચાલો..એ પણ માન્યું કે માફી માંગવી એ સહેલી વાત નથી..એટલે એક દિવસ નક્કી થયો કે આ દિવસે માંગવાની...
પણ માફી માંગવાની કોની?
આપણો અંતરઆત્મા બધું જાણતો હોય છે કે આપણે સાચ્ચામા કોની માફી માંગવી જોઈયે..આપણે કોને આકરા શબ્દો બોલ્યા છેં...
કોને આપણાં શબ્દોથી દુખ થયુ છેં..
પણ મે છેલ્લાં કેટ્લા વર્ષો થી જોયું છે કે જે બે મિત્રો વર્ષો થી વાત નથી કરતા હોતા એમના અબોલા હજી અકબંધ હોય છે.
બધાં પોત પોતાની રીતે સાચ્ચા જ હોય છેં.
હવે મારો જ દાખલો આપું ને..મને શિવાંસ એ કહ્યુ કે તમે ભૂલ કરો છો..મને કેટલું ખરાબ લાગી ગયું..પણ આજે હું એની માફી માંગું છું કે ભાઈ તુ તારી રીતે સાચો હતો ..મે ખાલી બધાની સામે ચર્ચા કરી.
મને પોતોને કેટલું હલકું લાગે છે મારું મન, પણ હુ ખાલી એક સંદેશ મૂકી દઉ કે સર્વ ને "મિચ્છામિદુક્કડમ"....
એ કોઇ મતલબ નથી રહેતો..મિત્રો જેની સાથે મતભેદ હોય કે મનદુઃખ્ , મહેરબાની કરીને એને "મિચ્છામિદુક્કડમ".... કહેશો..તો આજનો દિવસ સાર્થક થયો ગણાવીશ







ક્યારેક એવુ પણ થાય કે આપણા મનમાં કંઇક વાત ચાલતી હોય અને એ બીજા કહી દે..એવુ જ મારી સાથે થયું. હમણા હવે ગણેશજી નાં દિવસો આવ્યાં.
મારે જે કહેવુ હતુ એ અખિલ ભાઈ એ બહુ અસરકારક રીતેકહી દીધુ ....કે જે મન પર વધારે અસર કરશે.
જ્યારે લાંબી લાંબી લાઈન લગાડીને દર્શન માટે જાઇયે છીયે ત્યારે બધુ, સારુ સારુ જ લાગે છે..પણ જે મુર્તી ઓ પાસે ઉભા રહીને જિંદગી ભર ની ખુશી માંગીયે છીયે એની હાલત શુ થાય છે એ તો જુઓ..