મનનો આક્રોશ

Thursday, February 21, 2019

માતૃભાષા દિન

"વિશ્વ માતૃભાષા  દિવસ"

 આજે લોકો માતૃભાષા દિવસે ઘણું બધું ભાષા વિષે લખે છે. પણ આજે હું કંઈક  અલગ કહેવા માગું છું. ક્યારેક ક્યાંક કોઈક શબ્દ એવો વાંચવા કે સાંભળવા મળે કે જે ન ગમે. પણ કોને કહેવું?


1)  જેમ કે જ્યારે છાપામાં મરણનોંધ આવે છે ત્યારે એમાં લખ્યું હોય, બૈરાઓ એ તે જ દિવસે આવી જવું. કેમ આપણે એમ ન લખી શકીયે કે બહેનો એ તે જ દિવસે આવી જવું.


2) જ્યારે કોઈનું અવસાન થાય ત્યારે  લોકો પહેલો  પ્રશ્ન પૂછે કે ક્યારે કાઢી જવાના છે? કેમ આપણે એમ ન પૂછી શકીયે કે ક્યારે લઇ જવાના છો? કાઢી જવું એમ આપણા જ વ્યક્તિ માટે કેવી રીતે બોલી શકાય?


3) કોઈને ત્યાં દીકરી આવે ત્યારે એમના ઘરેથી મેસેજ આવે બેબી આવી, કેમ એવું ન બોલાય કે દીકરી આવી ?


આવા તો કેટલાયે શબ્દો છે કે જેને આપણે બદલાવી શકીયે છે.  તો જો આપને  મારી વાત ગમી હોય તો શું આપ હવે આ શબ્દોને બદલાવશો? લખવામાં ભૂલ થાય તો લોકોનું તરત ધ્યાન જાય પણ બોલવામાં આવા શબ્દોને આપણે ન બદલાવી શકીએ ?




                                                                                                            નીતા કોટેચા 'નિત્યા '
posted by નીતા કોટેચા at 1:33 AM 0 comments

Monday, August 15, 2016

જિંદગીમાં આપણને જરૂરી નથી કે બધા જ લોકો ગમે અને જેટલું જોઈએ, જેટલું વાચ્યું બધું જ ગમે . એક વ્યક્તિ, એક ને ગમે બીજાને જરા પણ ન ગમે . એમાં દોષ કોનો એ વ્યક્તિનો કે જોવા વાળાઓની નજરનો. એની માનસિકતાનો . ? કોઈક મોટો પેઈન્ટર હોય એ બાળકનાં બનાવેલા ચિત્રને વખોડી ન શકે . અને જો એ વખોડે તો એના જેવું મુરખું કોઈ ન હોય . તમે તમારે પ્રમાણે બરોબર હો તો એ એના પ્રમાણે બરોબર જ છે. મારું તો દ્રઢ પણે માનવું છે કે તમારામાં જેટલી કલા વધારે હોય તેટલા તમે જો વધારે વિનમ્ર ન બનો તો એ કલા તમારી માટે કોઈ કામની નથી . કોઈ પણ કલાનું અભિમાન હોવું એ તો પ્રભુને પણ પ્રિય ન હોય. તમારી પાસે જો કોઈ કલા હોય તો એને વહેચો. ફક્ત પોતાનું પેટ ભરવા અને પોતાનું નામ કમાવા જ જો તમે એનો વપરાશ કરતા હો તો કામનું શું ? કોનું નામ ટક્યું છે ? કોણ હમેશ માટે જીવતું રહ્યું છે ? આજે જેમની પાસે કોઈ પણ વસ્તુની કલા છે કોઈ પણ વિદ્યામાં જે લોકો પારંગત છે સૌથી વધારે તેઓ જ લોકોનું અપમાન કરે છે. કોઈકને વાર્તા લખતા સારી આવડતી હોય એમને પૂછીએ અમને સીખવશોતો કહે અમને ક્યા આવડે છે ? તમે જ વાંચીવાંચીને સીખી લ્યો .કોઈને કોઈ વાદ્ય આવડતું હોય તો એમને કહીએ તો એવી ફીસ કહેશે કે તમે હા પાડી જ ન શકો .
કોઈ કોઈને કઈ શીખવવા નથી માંગતું પણ હા વિવેચક તરીકે બોલવાનો એમને ભરપુર સમય છે . ત્યારે તો એવું બોલશે કે શીખવાવાળા ડિપ્રેશનમાં ચાલ્યા જાય છે . આવા દાખલા મેં જોયા છે એટલે કહું છુ .
ક્યારેક આપણી સાથે શીખતા લોકોને ઓચિંતાનાં બહુ આગળ વધી ગયેલા જોઈએ એમને પૂછીએ “વાહ શું વાત છે સાથે ચાલ્યા હતા . તે તો અમને જણાવ્યું પણ નહિ . હું પણ શીખવા આવત “
ત્યારે એમનો જવાબ હતો “ એમ બધું બધાને ન કહેવાય , લોકો આપણાથી આગળ વધી જાય. આવું જ્યારે સાંભળીયે છે ત્યારે તો આઘાત લાગે છે. કે મનુષ્ય કેટલો સ્વાર્થી થઇ ગયો છે .
પણ એક વાત અહિયાં સીખવા મળી કે જો દુનિયામાં જીવવું હોય તો બહેરા થઈને જીવવું . કારણ અહિયાં શબ્દોની રમત છે . તમને લોકો એવું પછાડશે કે તમે જિંદગીમાં ઉભા નહિ થઇ શકો..
નીતા કોટેચા “નિત્યા “
posted by નીતા કોટેચા at 9:00 AM 0 comments

Thursday, July 28, 2016

ધર્માંતરણ ક્યારે બંધ થાશે આ બધું ?

    જો ભગવાન જેવું કઇક  છે અથવા અલ્લાહ ખુદા જેવું કઈક છે તો પછી જમીન પર રહે છે એ પોતાને શું કામ ભગવાન કે અલ્લાહ માને છે . અને લોકોને ધર્માંતરણ કરાવે છે.. કઈક વિચારીને જ આપણને આપણા ધર્મ માં જન્મ આપવામાં આવ્યો હશે તો જે છે એને બદલાવાની વાત શું કામ કરવાની ? અને બીજા નાં ધર્મ માં જવાથી તમે કદાચ અલ્લાહ ને રાજી કરશો પણ શું ભગવાનને નારાજ નહિ કરો. કોઈ એક માતા નાં આંસુ પાડીને લોકોને શું મળે છે ? ક્યા ભગવાન કે કયા ખુદાને ગમશે કે તમે કોઈ માતા ની આંખ માં આંસુ લાવશો ?
  ક્યારે બંધ થાશે આ બધું ? આજે પણ કેટલાયે મુસલમાન છે કે જેઓ કોઈના ધર્માંતરણ માં માનતા નથી અને તમે હિંદુ છો તો પણ તમારા સાચ્ચા મિત્રો હોય છે . આ વાતો જ્યારે સાંભળીયે છે ત્યારે બધા મુસલમાનો માટે એક ડર બેસી જાય છે અને વચ્ચેની દીવાલ મજબુત થતી જાય છે.. જ્યાં જેમનો જન્મ થયો છે ત્યાં તે પોતાના ધર્મને સંભાળે એ જ બરોબર રહે અને કદાચ ધર્મ માં પણ ન માને તો પણ કઈ નહિ પણ પોતાના માતા પિતા પ્રત્યેની ફરજ ન ભૂલે એ જ બહુ મોટી વાત છે .. પણ ધર્માંતરણ કરાવવા વાળા ઓ માં માણસાઈ નથી રહી અને કરવા વાળા ઓ માં તો બુદ્ધિ જ નથી હોતી કે એ બીજાઓ ની વાતો માં આવી જાય છે અને બધી ફરજ મુકીને એક મંઝીલ વગરનાં રસ્તા પર ચાલી નીકળે છે . એમનો એક ફેંસલો કેટલા લોકો દુખી થાય છે એ તેમને વિચાર નથી આવતો . એ બાળક નાં  જન્મ વખતે જે માતા પિતા પોતાને ધન્ય માનતા હોય છે એ જ માતા પિતા ફક્ત લોહીનાં આંસુ રડે છે .

  આ લેખ લખવાનો એક જ આશય છે કે જે હમણાં જાકીર નાયક ની વાતો સાંભળીયે છે ત્યારે દુ:ખ થાય છે .. પબ્લિક માં લખવાથી બહુ તકલીફો નો સામનો કરવો પડે એમ છે એટલે અહિયાં લખીને એક ઉભરો કાઢવાની કોશિશ કરી છે 
posted by નીતા કોટેચા at 8:19 AM 0 comments

Monday, August 19, 2013

ક્યાં પહોચશે આ જમાનો..??

ઘરની બહાર નીકળવાની ઇચ્છા જ નથી થતી .. બે દિવસ પહેલા મારી રુમ માં બેસીને હુ મારુ કામ કરતી હતી ત્યાં નીચે રસ્તા પરથી જોર જોરથી કોઇક નો રડવાનો અવાજ આવ્યો.. આમ તો સરકારી હોસ્પિટલ સામે રહુ છુ એટલે રડવાનું તો આખો દિવસ સંભળાતુ  હોય પણ હવે રડવા રડવામાં 
ફરક સમજાવા લાગ્યો છે ..આ કોઇક્નાં મ્રુત્યુ પર લોકો રડે એવુ રડવુ ન હતુ..હુ બાલ્કનીમાં જોવા ગઈ , નીચે જોયુ તો એક યુવાન છોકરો ને એક યુવાન છોકરી હતા ..હજી તો કંઇક વિચારુ ત્યાં તો છોકરાએ , છોકરી ને જોરથી ગાલ પર તમાચો માર્યો.. પછી એના હાથમાંથી મોબાઇલ લઈને નીચે ફેંકી દીધો.. હવે સહન ન થયુ એટલે ઉપરથી જ બુમ 
પાડી  કે આ શું ચાલે છે પોલીસને ફોન કરૂ કે ? છોકરો થોડો ગભરાણો , છોકરી ની હિંમત વધી એટલે એણે પોતાનો મોબાઇલ ઉપાડ્યો ને ચાલવા લાગી .. પાછળ છોકરો ભાગ્યો ..મને થયુ આ છોકરો , છોકરી ને નુકશાન ન પહોચાડે. એટલે હુ તરત નીચે ગઈ . પણ ચંપલ પહેર્યા એ પણ જાણે મોડુ થઈ ગયુ , હું ગેટ પાસે પહોચી તો હવે તો છોકરી જ નીચે પડેલી હતી, સ્વાભાવીક હતુ કે છોકરાએ એને માર્યુ હશે.. એ જોર જોરથી રડતી હતી .. મે છોકરાને ધમકાવ્યો કે તુ અહિંયાથી ચાલ્યો જા નહી તો હુ પોલીસને ફોન કરીને તને પકડાવી દઈશ ..છોકરો ગયો નહી..એટલે હું છોકરી ને મારા ઘરે લઈ આવી મે એને પાણી આપ્યુ એને શાંત કરી એને કહ્યું " તુ ડર નહી હું તને તારા ઘરે મુકી 
આવીશ .. પણ છોક્કરી ને કંઇ સંભળાતુ ન હતુ એ ફક્ત રડતી હતી . મે એને થૉડી વાર રડવા દીધી એ શાંત થઈ .પછી પોતે જ બોલવાનું શરુ કર્યું 
" આંટી મારે એની સાથે સંબંધ નથી રાખવો  પણ એ માનતો જ નથી , ચાર દિવસ પહેલા મમ્મીએ મોબાઇલ અપાવ્યો  કાલે નવા ચશ્મા કરાવી આપ્યાં હતા બધુ તોડી નાખ્યું હું શું કહીશ ઘરે હવે ?" 
મે એને કહ્યુ " તુ શાંત થા.." થોડી  વાર એ ચૂપચાપ બેઠી હતી .." પછી

 કહે હવે હું જાવ આંટી ?"
મે કહ્યું"હું મુકી જાવ છુ ખમ..તો કહે ના હું ચાલી જઈશ .. તોય મન ન માન્યું ને નીચે રિક્ષામાં બેસાડવા ગઈ.. ત્યાં જોયું છોકરો નીચે જ ઉભો હતો.. છોકરી ડરી ગઈ ..હું એ બંનેને ઘરે લઈ આવી .. મે એ છોકરા સાથે વાત કરી એ પંજાબી હતો મે કહ્યુ "આપકો ક્યા તકલીફ હૈ , અગર ઉસે આપકે સાથ નહી રહેના તો જબરદસ્તી ક્યુ કર રહે હો ? ખુદ ભી જીયો ઔર ઉસે ભી જીને દો..તો એ રડવા લાગ્યુ મને કહે " આંટી મૈ 
ઉસસે બહુત પ્યાર કરતા હુ પર આજકલ ઉસકી જિંદગી મે કોઇ ઔર આ ગયા હૈ.. હમ તીન સાલ સે દોસ્ત હૈ.." મે એને કહ્યુ બેટા અગર આપકો 
પતા હૈ કી ઉસકી જિંદગી મે કોઇ ઔર હૈ તો ભી આપ ઉસકે પીછે પડે હો ઔર ઉપરસે જબરદસ્તી ભી કર રહે હો.. ઉસકી જિંદગી હૈ ઉસકી મરજી હૈ
. અબ ઉસે છોડ દો .. વૈસે ભી વો ઇતના માર ખાને કે બાદ આપકી હોને વાલી નહી ક્યોકી ઔરતો કો પૈસા નહી સમ્માન ચાહીયે. તો કહે હા સચ કહા આપને આંટી.. 
એ ચાલ્યો ગયો..છોકરી ને રિક્ષામાં બેસાડીને હું ઘરે આવી ..એનો ફોન્ન આવી ગયો કે હુ ઘરે પહોચી ગઈ છુ..ત્યારે શાંતી થઇ..
આ એક પ્રસંગ પત્યો આજે કામ માટે બહાર જવાનું થયુ થોડી ચાલી ત્યાં પાછા એવા જ છોકરા છોકરી જોયા.. 
એ જ સીન પાછો છોકરી રડતી હતી મે તરત મારી મોટી દીકરી ને મેસેજ કર્યો કે પાછૂ આવુ કંઇક થાય છે શું કરુ? તો મને મેસેજ આવ્યો " મમ્મી 
વધારે વચમા ન પડતા ક્યાંક એ બંને મળીને તમારુ અપમાન ન કરી બેસે.." મને સમજાણૂ નહી શું કરુ મે નાની દીકરી ને મેસેજ કર્યો કે 
બેટા શું કરુ ?  મારી નાની દીકરી એ જવાબ આપ્યો " મધર ટેરેસા બનવાનુ રહેવા દ્યો મમ્મી..અને ઘરે ચાલ્યા જાવ.." મને બંને પર ગુસ્સો આવ્યો કારણ મને એ છોકરીમાં મારી બંને દીકરી ઓ 
દેખાતી હતી . હું કેમને જાવા દઉ..હું એમની પાસે ગઈ .. છોકરી ગુજરાતી ઘરની અને છોકરો બીજી નાતનો .. મે એને કહ્યુ " મારતા ક્યું હઈ અક્કલ હઈ કી નહી ..અને છોકરીને કહ્યુ ચલ તને ઘરે પહોચાડી દઉ.. છોકરી એ મને જોઇને કહ્યું " આંટી જી તમને કોઇયે બોલાવ્યાં કે મને મદદ કરો.. તમે તમારુ કામ કરો ને..મને એટલુ દુખ થયુ મે કહ્યુ બેટા , તે તારા મમ્મી પપ્પાનાં હાથ નો માર ખાધો છે ક્યારેય ? પણ  તુ આ છોકરાનાં હાથ નો માર ખાઈશ્. શું કામ? તારા માતા પિતા તને
 આટલા લાડકોડ થી મોટી કરે તને ભણાવે તને સંભાળે એ આ બધા માટે..? ખા માર ખા,બેટા કદાચ તારા નસીબમાં આ જ લખ્યું છે.. 
મે એ છોકરા સામે જોયું એનાં ચહેરા પર મારી મજાક ઉડાડતી સ્માઈલ હતી..
મને મારી બંને દીકરી ઓ ની વાત યાદ  હુ દુખી હ્રદયે ત્યાંતિ આગળ ગઈ ત્યાં એક્દમ ગંદી ગાળ સંભાળાણી કે જે એ 
છોકરાએ એ છોકરીને આપી હતી..પણ પાછળ ફરીને જોવાણુ નહી ..બસ આગળ ચાલતી ગઈ મનમાં એ છોકરીની ચિંતા લઈને.. કે ક્યાં પહોચશે આ જમાનો..??

નીતા કોટેચા "

posted by નીતા કોટેચા at 10:32 AM 5 comments

Sunday, March 17, 2013


સગાઈ અને લગ્ન વચ્ચે જે પુરુષ , સ્ત્રીનો હાથ પકડીને રોડ ક્રોસ કરાવે છે એ જ પુરુષ પરણ્યા પછી પાછળ ફરીને જોતો નથી કે પત્ની ક્યાં છે ? 
                                                                નીતા કોટેચા "નિત્યા"
posted by નીતા કોટેચા at 7:01 PM 0 comments

Saturday, January 12, 2013

બધા તંત્રીઓ માટે




મોટા મોટા લેખકોની રચનાઓ લેવા માટે તંત્રી ઓ તડપતા હોય છે .. તે લોકો કહે તેટલા પૈસા આપવા તૈયાર હોય છે . પણ નવા લેખકો જ્યારે પોતાની રચના આપવા જાય ત્યારે જો લેખકો ધ્વારા પૂછવા માં કે અમને અમારી રચના માટે કાંઈ મળે ? તો કહેવામાં આવે કે " હા નામ મળે ને .. અમારા જેવા લોકપ્રિય  છાપા માં તમારી રચના લઈને અમે તમારા પર ઉપકાર કરીએ છે ..અને તમારી રચના છાપવાના અમે તમારી પાસે થી કઈ લેતા નથી એ જ ઉપકાર સમજો .. શું છાપા લોકોને મફતમાં આપવામાં આવે છે ? શું કોઈ નાત નું કે કોઈ પણ પુસ્તક હોય એનું લવાજમ લેવામાં નથી આવતું ? તો શું કામ લેખકોને જ પૈસા નથી અપાતા ... બહુ પહેલા સાંભળ્યું હતું કે લેખકો હંમેશા ભૂખ્યા રહે।। એ વાત એકાદમ સાચ્ચી છે . જો પોતાના પૈસે પોતાનું પુસ્તક બહાર પાડવાની કોશિશ કરે તો પબ્લીશર્સ  હેરાન કરે . કરવું શું ? લેખકો ની કદર છે જ નથી .. એ સત્ય હકીકત છે ..આ હું કોઈ એક પુસ્તક કે કોઈ એક છાપા  માટે નથી કહેતી ..પણ કોઈ પણ નથી આપતા .. એ પણ હકીકત છે . હા એક " સ્ત્રી "  મેગઝીન વાળાઓ ને જો આપની વાર્તા ગમે તો તે લોકો વાર્તા સ્વીકારીને તરત જ ચેક મોકલી આપે છે . અરે પૈસા ન આપે ક્યારેક બહુમાન કરે તો પણ ગમે . પણ બધાને પોતાનું પુસ્તક કે છાપા ભરવા છે , કોઈ નવા ને તક આપવી નથી કે કોઈ નવા પર ભરોસો મુકવો નથી . સચિન તેડુલકર જગ્યા આપે તો જ બીજા ની પ્રતિભા બહાર દેખાય , તો થોડું ધ્યાન સીનીયર લેખકો એ પણ રાખવાની જરૂરત છે . 
posted by નીતા કોટેચા at 9:23 AM 2 comments

Friday, January 11, 2013

માનસિક બળાત્કાર



દિલ્લી  રેપ  પછી સ્ત્રીઓ માટે, દીકરીઓ માટે વિચારીને બહુ દુ:ખ થાય છે, કે ક્યારે સુધરશે સમાજ અને ક્યારે સુધરશે પુરુષોની માનસિકતા, કેટલી દીકરીઓ ને આપણે  મરતા જોઈશું ને ચુપચાપ બસ જોયા કરશું ..

દ્રોપદી ના જમાના થી જે ચાલ્યું આવ્યુ છે તે આજે પણ ચાલે છે . જે ત્યારે બતાવવામાં આવ્યું હતું કે ઘરના દેર, જેઠ ભાભી ની સાળી ખેચે છે અને ચીર પુરવા માટે શ્રીકૃષ્ણ આવે છે . તો ખબર નથી પડતી કે પ્રભુ જ્યારે દેર, જેઠ કપડા ખેચે ત્યારે જ આવે ..બહાર વાળા  ખેચે ત્યારે ના આવે . એવો કોઈ કાયદો હશે કે પ્રભુ નો ..
એમ થાય છે કે બધી સ્ત્રીઓ એ બાળકોને જન્મ આપવાનું જ બધ કરી દેવું જોઈએ .  જો જનમ દેનારો પ્રભુ આપણી  દીકરી ને સાચવતો ન  હોય તો આપણે  શું કામ એની શ્રુષ્ટિ ને સંભાળવા માટે બાળક કરીએ .. આમ સમાજમાં લોકો બુમો પાડીને કહે છે દીકરી વ્હાલનો દરિયો ને દીકરી બચાવો ..શેની માટે, આ બધા માટે કે ? 
                 નાની હતી ત્યારે વાર્તા વાચી હતી કે એક માણસને પકડીને બધા પથ્થર મારતા હતા તો કોઈકે કહ્યું કે જેણે  જિદગીમાં ક્યારેય  ભૂલ ન કરી હોય તે પથ્થર મારે, પથ્થર મારવાનાં બંધ થઇ ગયા . તો હમણા આપણે એમ પણ કહી શકીએ ને કે જે માણસે ક્યારેય માનસિકતાથી પણ પોતાના વિચારોથી પણ પારકી સ્ત્રીઓ કે બેનો દીકરી ઓ પર બળાત્કાર  ન કર્યો હોય એ જ વિરોધ પ્રદર્શિત કરે .તો કેટલા પુરુષો આવી શકશે ??રસ્તે ચાલતા, બસ માં ટ્રેન માં, મંદિરો ની ભીડ માં કેટકેટલાયે  ઠેકાણે આવા પુરુષો મળી રહે છે ક્યારેક આપણા  સગાવ્હાલાની નજરો માં પણ આપણને આ જોવા મળે છે, સ્ત્રીઓ ક્યાં  સલામત છે . પોતાની પત્ની સાથે ચાલનારો પુરુષ બીજાની સ્ત્રીઓ ને અને બીજાની દીકરીઓ ને ધ્યાનથી ઉપર થી નીચે સુધી જોતો હોય છે . બળાત્કાર  કરવાના બંધ તો નહિ કરી શકું, પણ કમસેકમ પુરુષો પોતાને જ બદલાવી શકે તો માનસિક બળાત્કાર  ઘણા ઓછા થઇ જશે ..
 દીકરીઓ અને સ્ત્રીઓએ હવે ઘરથી જ શુરુ કરવાનું છે જરા પણ આપણાં  આજુબાજુના પુરુષોની નજર આપણને  લાગે કે આપણાં  પર કે બીજી કોઈ દીકરી પર ફરે છે તો  તરત જ ટોકવાની  હિમત કરતા સખી જાવ ..ધીરે ધીરે કદાચ વાતાવરણ બદલાઈ જાય 

નીતા કોટેચા "નીત્યા"
posted by નીતા કોટેચા at 10:00 AM 1 comments

Monday, October 29, 2012

થોડા વખત પહેલા


થોડા વખત પહેલા જુનાગઢ જવાનું થયું, બહુ વખતે સંબધી ઓ નાં ઘરે ગયા. બહુ આનંદ આવ્યો. પોતાના એ પોતાના આખરે. 
ખૂબ હસ્યા, ખૂબ વાતો કરી. સવારનાં વહેલા પહોચ્યા હતા. અમે ગયા પછી  એમનો નવ વર્ષનો દીકરો ઉઠ્યો , તરત મમ્મીને જોયુ અને તરત સામે ની શ્રીનાથજી ને છબી ને પગે લાગી ને પછી બોલ્યો " જો મમ્મી હું ભુલ્યો નહી આજે પણ , " એની મમ્મી એ એનાં માથા પર હાથ ફેરવ્યો કે હા મારો દીકરો ન ભુલ્યો.. પણ મને એ બાળકમાં કોઇ આસ્થા ન દેખાણી ફક્ત એક
 મમ્મી નું કામ પુરુ કરવાનૂ હતુ જાણે એ કરી લીધુ..
સાંજનાં ચાર વાગ્યા. બધા વાતો કરતા હતા ક્યા છ વાગી ગયા ખબર જ ન પડી. અંધારુ થાવા લાગ્યુ મમ્મી એ દીકરી ને કહ્યુ " બેટા લાઈટ ચાલુ કરી નાંખ અને જેવી લાઈટ ચાલુ થઈ બંને બચ્ચાઓ  બે હાથ જોડ્યા. મારાથી પુછાઇ ગયુ કે કેમ હાથ જોડ્યા. તો દીકરા એ કહ્યુ "મમ્મી એ કહ્યુ છે કે સાંજ ની લાઈટ ચાલુ થાય એટલે બે હાથ જોડવાના."
મે ભાભી સામે જોયુ  તો  એમણે તરત જવાબ આપ્યો " મારી મમ્મી કરાવતી હતી." મે પુછ્યુ " ભાભી, સવારના સુર્ય દેવતા ને તો પગે લાગવા નહોતુ કહ્યું તમે, કેમ લાઈટ  વાળા પૈસા લે છે એટલે કે,  સુર્ય દેવતા તો મફત માં અજવાંળુ આપે છે ને. " મારી વાત સાંભળી બાળકોએ પણ મમ્મી સામે પ્રશ્નાર્થ નજરે જોયુ. પણ મમ્મી પાસે કંઇ જવાબ ન હતો..
વર્ષો થી જે ચાલતુ આવતુ હોય એ જ આપણે ચલાવે રાખીયે . આપણા મમ્મી પપ્પા શું કામ કરાવતા હતા એ આપણે જાણવાની કોશિશ ન કરી અને આપણા બાળકોને સમજાવાની કોશિશ ન કરી બસ ચલાવે રાખ્યુ
મે આ જ વાત એક વડિલ ને પુછી એમણે કહ્યુ "અમે લાઈટ ચાલુ કરી એઅટલે પગે લાગવાનુ નહોતુ કહેતા પણ સંધ્યા ટાણુ નાં દીવા બત્તી કરીયે 
એને પગે લાગવાનુ કહેતા."
 ખબર નહી આ રીત ક્યાંથી શરુ થઈ કે સાંજની લાઈટ ચાલુ કરીયે એટલે હાથ જોડી ને પગે લાગવાનું .. ક્યાં કોને એ પણ ખબર 
નથી પડતી..

નીતા કોટેચા "નિત્યા"


posted by નીતા કોટેચા at 6:40 PM 3 comments

Thursday, August 5, 2010

આજે બહુ વખતે બ્લોગ પર કંઇક લખી રહી છુ અને એ પણ આક્રોશ જ...

થોડો વખત પહેલ એક સગાને ત્યા સાસુ જી નો ૬૦ મો જન્મ દિવસ ઉજવતા હતા ત્યાં જવાનું થયું..ખૂબ સુંદર રીતે ઉજવ્યો..સાસુ જી ખુશ ખુશ થઈ ગયાં..પછી વારો આવ્યો જમણવારનો..જમવા ગઇ ત્યાં જઈને જોયુ તો મને અચરજ અને ગુસ્સો બંને બહુ જ આવ્યા..ભલે એનુ મહત્વ ન હોય કાંઇ પણ આવ્યો ખરી..શરૂઆત આપણે સલાડથી કરીયે..જેવી ત્યાં ગઈ તો જોયુ નહી નહી તો ૧૫ જેટ્લા કચુંબર હતા..પણ જેવી કાંદા પાસે ગઈ તો મે જોયુ એની પર તુલસીજી ના પત્તા પાથર્યા હતા..મારુ મગજ ફરી ગયું..કાંદા પર તુલસીજી..મે પૂછ્યું આ કેમ તુલસીજી કાંદા પર. તો કહે કાંદાની વાસ ન આવે એટલે..શું કહેવુ બોલો? કાંદા જે ચુસ્ત ધર્મ પાળતા હોય એ તો ખાય જ નહી.પણ જે ધર્મ ન પાળતા હોય એ પણ તુલસીજી, કાંદા પર ન છાંટે...મન ખરાબ થઇ ગયું..કાંઇ ખાય ન શકી..પણ જો આપણાં માં થી કોઇને પણ ત્યાં પ્રસંગ હોય તો કેટરીગ વાળા ને જરૂર કહી દેજો કે મહેરબાની કરીને તુલસીજી ને ન અભડાવતા..

કોઇ કમેન્ટ ન આપતા મે કમેન્ટ સિસ્ટમ બંધ કરી છે કારણ કેટલાક ગભરુ લોકો બીજાના નામ પર બ્લોગ પર પોતે કમેન્ટમાં કાંઇ પણ લખતા હોય છે॥

નીતા કોટેચા

posted by નીતા કોટેચા at 9:35 AM 0 comments

Saturday, January 23, 2010

મને સમજાવશો plss

લોકો કહે છે પ્રેમ ઓછો નથી હોતો ,અપેક્ષા ઓ વધારે હોય છે..પણ મને એક વાત નથી સમજાતી કે જ્યાં પ્રેમ હોય ત્યાં જ અપેક્ષા હોય ને ? નફરત હોય, અબોલા હોય એની પાસે ક્યાં અપેક્ષા હોય જ..તો લોકો કેમ આમ કહે છે..મને સમજાવશો plss


નીતા કોટેચા

posted by નીતા કોટેચા at 10:18 AM 7 comments

Tuesday, March 17, 2009

ઉફફફ આ બોર્ડ ની પરીક્ષા

હમણાં મુંબઈ માં ૧૦ માં ની બોર્ડ ચાલે છે..કાલે એમની ભૂગોળ ની પરીક્ષા હતી..અમારા જ ગામ માં ઘાટકોપર માં જ એક દીકરી એ કોપી કરતા પકડાણી અને એની હોલટીકીટ લઈ લેવામાં આવી ..કદાચ ખાલી ડરાવવા માટે લીધી હોય કે જે હોય એ..પણ એ દીકરી એટલી ડરી ગઈ કે એણે ૧૦ માં માળે જઈને અગાસી માં થી પડતું મૂક્યું અને મૃત્યુ પામી ..અમે કોઇ સુઈ નથી શક્યાં..કે આ શું છે ??આટલું શું કામ ચીંતા..શું ૧૦ મુ ધોરણ એ જિંદગી ની છેલ્લી પરીક્ષા છેં..મહેરબાની કરીને બધાં બાળકો ને પણ કહુ છું કે જિંદગી બહુ મોટી છે અને એમાં લાખો રસ્તા છેં..આજે ભણેલા ઓ પણ રસ્તે ફરે છેં..તો આવુ કોઇ પગલું ના ભરતા..માતા પિતા ની શું હાલત થાય છે તમને ખબર નથી..જિંદગી માં જ્યારે પણ આવા વિચાર આવે કોઇક ને ફોન કરો એમની સાથે વાત કરો..કોઇ માતા પિતા માટે તમારથી વધારે પરીક્ષા નહી હોય...મહેરબાની કરીને આવુ પગલું કોઇ ન ભરતા...એમનાં માતા પિતા નાં નહી પણ અમારાં આંસું પણ નથી સુકાતા કાલ થી...મારી દીકરી પણ આ જ વર્ષે ૧૦ માં ની પરિક્ષા આપે છે..


સાથે બધાં બાળકો ને પરીક્ષા માટે ખૂબ ખૂબ શુભકામના.ને આશીર્વાદ..ગુજરાત નાં બધા બાળકો ને પણ શુભકામના...

અને મમ્મી પપ્પા ને વિનંતી કે જરા સંભાળજો...

posted by નીતા કોટેચા at 1:16 PM 7 comments

Saturday, March 7, 2009

પણ આજે બધા મનાવશે સ્ત્રી મુક્તી દિન ..સારુ ચલો આપણે પણ મનાવીયે


સ્ત્રીમુક્તી દિન્..

કેવો અજબ લાગે ને આ શબ્દ...

કે સ્ત્રી ઓ ને હજી મુક્તી દિન માટે રાહ જોવી પડે છે...

અને પાછુ એમાં પણ સ્ત્રી ઓ એ સાંભળવુ પડે કે કમાવાની લાલચ માં સ્ત્રીત્વ ગુમાવે છેં..

પહેલા કહેવાતુ કે સ્ત્રી ઓ ઘર સંભાળે અને પુરુષો કમાઈને લાવે...

હવે તો પરણવા નીકળતા પહેલા દાદા કોણ હતા અને મામા કોણ હતા એ નથી પુછાતુ..કઈ કંપની મા કામ કરે છે અને પગાર કેટલો છે દીકરી નો, એમ પુછાય છેં..

આ સુધરેલો સમાજ ..પહેલા પોતે જ બહાર મોકલાવે અને પછી પોતે જ કહેતા હોય છે કે આજ કાલ તો બધાને બસ કમાવુ છે ..હવે પહેલા જેવા દિવસો ક્યાં..

બધી સ્ત્રી ઓ ને વિનંતી કે આપણે એક બીજા ને માન આપીયે તોય સારુ ..નહી તો સાસુ ઓ હજી પણ વહુ ની બુરાઇ કરતી હોય છે અને એમાં પુરુષો ફાયદો ઉપાડતા હોય છે...

અરે શું કામ ઉજવો છો ..સ્ત્રી ઓ જેવી પહેલા ગુલામ હતી એવી જ આજે છે..કાંઇ જ ફરક નથી ...

બસ હવે કમાવા સાથે ગુલામ છે.પહેલા ઘરમાં બેસીને ગુલામ હતી..

આજે પણ સ્ત્રી ઓ પર એટલી જ બુમા બુમી થાય છે..એટલા જ મેણા ટોણા મરાય છેં..

હજી આજે પણ ભાઇ નાં, પપ્પા નાં અને પતિ ના મુડ પર એનો દિવસ સારો જશે કે નહી એ આધાર રાખે છે...

આજે પણ એ સાસરા વાળા ઓ થી ગભરાય છે..

પોતાની મરજી ના હિસાબે એ જરા પણ જીવી નથી શક્તી..

બધી વાતો છે...ખોટા દિવસો ઉજવવવાનું બંધ કરો...

પુરુષ પ્રધાન દેશ નહી પણ પુરુષ પ્રધાન દુનિયા છેં...

હમણા જ એક બહેન પાસેથી સાંભળ્યું ,એ બેંક માં મેનેજર છેં...

બહુ રુબાબ છે એનો બેંક માં ..બધા સાથે પ્રેમ થી કામ લે છે ..પણ તોય લોકો એને માન પણ આપે છે અને કમાય પણ સારુ એવુ...

પણ ઘરે આવે એટલે ધમપછાડા હોય..

જગડા જ જગડા હોય..

જરા પણ શાંતી નથી જિંદગી માં..

હવે એ કેવી રીતે મનાવે સ્ત્રીમુક્તી દીન ..જો એક દિવસ કોઇ મનાવે તો પણ અને કઈ રીતે ખુશ થાય . ..કોઇ એને કહેતુ નથી કે કામ મુકી દે અને બધા એની પર બુમો પણ પાડે છે કે તુ કામ કરે છે એટલે ઘર આખું અસ્તવ્યસ્ત છે...

સ્ત્રી ઓ પોતાનું માન પોતે જ જાળવવુ જોઇયે એવુ પણ કહેવાય છે કેવી રીતે??

નાના મા નાના કામ માટે હજી ઘર ના ઓની રજા લેવી પડતી હોય છે..

બધી વાતો છે...

નાની નાની વાતો છે પણ બહુ ઓછી જગ્યાએ નારી પોતાનું ચલાવે છેં...

આજે પણ દીકરી ને પરણાવતા વખતે દીકરા વાળા ઓ ને બોલતા સાંભળ્યું છે કે અમારે ભણાવવાનો બહુ ખર્ચ થયો છેં...

આજે પણ T.V માં બાલીકા બધુ અને લાડો જેવી સીરીયલ દેખાડવા માં આવે છે શું કામ ??

કારણ હજી ક્યાંક ને ક્યાંક આ બધુ ચાલે છે..અને આ સીરીયલ જોઈયે છે ત્યારે માનસિક આઘાત લાગે છે કે આ શું??

ચલો નસીબ સારા કે આપણે આ નથી જોવુ પડતુ પણ ક્યાંક તો આ ચાલે છે જ ને..

આજે પણ સંભળાય છે કે દીકરી ૨૧ વર્ષ ની થાય એટલે પરણાવી દેવી જોઈયે ...કમસેકમ નક્કી તો કરી જ નાખવું જોઇયે...

અરે પણ જીવવા દ્યો એને...

એક દીકરી નો જીવવાનો હેતુ શું એક જ છે કે એને પરણાવી દેવી જોઇયે...

ક્યાંક કાંઇ ફરક નથી પડ્યો...

બધે બાજુ જેમ આડંબર ની દુનિયા છે એમજ અહીયા પણ એ જ દુનિયા છે...

એટલા બધા સાચ્ચા ઉદાહરણ છે કે જે જો બધા સાંભળે તો એમ થાસે કે આવુ પણ હજી બને છે જિંદગી માં??

પણ હા હજી સ્ત્રી ઓ સાથે એટલા અત્યાચાર થાય છે કે અરેરાટી થઈ જાય...

અને પાછું મારું લખાણ વાંચીને બધા કહેશે કે નીતા બહેન તમે બસ આવુ જ લખો.

પણ શું કરું મારાથી નથી રહેવાતુ ચુપ અને નથી જીવાતી ખોટી દેખાડાની દુનિયા...

પણ હવે દિવસ આવ્યો છે તો બધી બહેનો તો એકબીજા નું માન વધારી જ શકે છે ને...

પણ આજે બધા મનાવશે સ્ત્રી મુક્તી દિન ..સારુ ચલો આપણે પણ મનાવીયે..



posted by નીતા કોટેચા at 7:18 PM 8 comments

Sunday, January 25, 2009

મનન

આજે મનન ને તાવ આવે ચાર દિવસ થઈ ગયા..પણ તાવ ઉતારવાનું નામ જ ન હોતો લેતો.. હવે સ્વપ્નીલ અને સંધ્યા થી સહન નહોતુ થતુ..આખરે એમણે DR. ને કહ્યુ હવે આપણે મનન ને હોસ્પિટલ માં દાખલ કરીયે તો કેમ રહેશે??

Dr. એ ના પાડી કે ના એવી કોઇ જરુરત નથી..ઉતરી જશે..

પણ હવે બન્ને માન્યા નહી અને મનન ને સારા મા સારી હોસ્પીટલ માં દાખલ કરવા મા આવ્યો..

ઉમર નાની હતી..ખાલી સાત વર્ષ નો હતો મનન..

મનન ને સરખી રીતે હોંશ નહોતો આવતો...

નીંદર મા એનો બબડાટ ચાલુ જ હતો...

શું બોલતો હતો કોઇને ખબર પડતી ન હતી....

આખરે Dr।માતા પિતા ને પોતાની off॥ માં બોલાવ્યાં॥અને પુછ્યું કે "મને સમજાવો કે જ્યારે એને તાવ આવ્યો॥એનાં આજુબાજુ નાં દિવસો માં તમારા ઘરમાં શું શું થયું હતુ??

સ્વપ્નીલ એ કહ્યુ "એવુ કાંઇ ખાસ નહોતુ થયું..બસ અમારા બન્ને વચ્ચે નો ઝગડો થયો હતો..એ તો ચાલે રાખે...

Dr.. ભડકી ગયા..."ચાલે રાખે એટલે..તમારી કાંઇ જવાબદારી છે કે નહી...તમને કાંઇ અક્કલ છે કે નહી...ઝગડૉ શુ હતો એ મને કહો હવે....."

સ્વપ્નીલ શાંત થઈ ગયો...એણે કહ્યુ "એ દિવસે મારી પત્ની નાં પિયર મા મારા સાસરા વાળા ઓ એ પુજા રાખી હતી...અને અમારા વચ્ચે ઝગડો હતો કે આમંત્રણ આપવા માટે કોનો ફોન આવ્યોં?? અને સંધ્યા એ મને કહ્યું કે તમને જોઇયે તો મનન ને પૂછી લ્યો કે મમ્મી અને પપ્પા બન્ને નો ફોન આવ્યો હતો..અને મે મનન ને હચમચાવી નાંખ્યો હતો કે સાચુ બોલ,મમ્મી એ જ તને ખોટુ બોલવાનું કહ્યુ હશે... અને એ ડરી ગયો અને એની મમ્મી ની પાછળ છુપાઈ ગયો હતો...અને અમે પૂજા માં ગયા નહી ..અને સંધ્યા રડતા રડતા સુઇ ગઇ.....રાતના અમે સુઈ ગયા અને સવારનાં જોયુ તો મનન ની આવી હાલત હતી..."

અને Dr..એ જોરથી ટેબલ ઉપર હાથ પછાડી ને કહ્યુ, "તમારા લોકો માં અક્કલ છે કે નહી ..તમારી વાત ને સાચ્ચી અને ખોટી કરવા માટે તમે એક બાળક નો સહારો લીધો...શરમ આવવી જોઇયે તમને બન્નેને.."

સ્વપનીલ અને સંધ્યા ને પોતાની ભુલ સમજાણી...

મનન નો તાવ હજી ઉતરતો ન હતો...

છેલ્લે Dr. એ કહ્યું આનો એક જ રસ્તો છે...તમે તમારી પત્ની નાં પિયરીયા ને બોલાવો..અને એ સાંભળે એમ હસતા હસતા વાતો કરો..

સ્વ્પનીલ સાસરે ગયો...સાસુ સસરા ની માફી માંગી અને Dr... એ કહેલી બધી વાત કહી..એનાં સાસુ સસરા તરત જ એની સાથે હોસ્પિટલ માં પહોચ્યાં અને જેમ Dr..એ કહ્યુ હતુ એમ જ એ લોકો એ કર્યું...

અને મનન ને તો પણ બીજા ત્રણ દિવસ સારા થવામા નીકળી ગયા...

સારુ થયા પછી પહેલો સવાલ મનન નો હતો કે...પપ્પા ગુસ્સા માં નથી ને મમ્મી..???

પણ હવે એની તબીયત એકદમ સારી હતી...આજે રજા લેવાની હતી...

સ્વપ્નીલ અને સંધ્યા DR..પાસે ગયા...DR..એ કહ્યું તમારી માટે જે નાની વાત છે એ બાળકો માટે બહુ મોટી વાત હોય છેં..એ લોકો ઝગડા સહેન નથી કરી સક્તા...

તો મહેરબાની કરીને સંભાળજો....

એ દિવસ થી એમને જીવવાની રીત બદલાવી નાંખી અને હંમેશ ઘર માં ખુશ્ખુશાલ વાતાવરણ રાખવા લાગ્યાં...

બાળકો ને ખુબ જ પ્રેમ થી ઉછેરવુ જરુરી છે....

આપણાં અભિમાન માં અને માન અપમાન નાં ચક્કર માં બાળકો પિસાતા હોય છેં અને આપણને ખબર પણ પડતી નથી હોતી...

બાળકો નાં મન ને વાંચી ને જિંદગી જીવવુ જરુરી છે...નહી તો પ્રભુ એ આપેલુ ફુલ કરમાઈ જતા વાર નહી લાગે...અને એ અપમાન આપણે પ્રભુ નું કર્યુ કહેવાશે...


નીતા કોટેચા...

posted by નીતા કોટેચા at 2:03 AM 5 comments

Friday, December 19, 2008

સંબંધ

આજકાલ લગન નાં દિવસો ચાલી રહયાં છેં..એક એક પ્રસંગ માં જઈયે ત્યારે દુખી થવાય છે જ્યારે જોઈયે કે એ જ ઘર નો એક ભાઈ ન ત્યાં હાજર ન હતો..અને ક્યાંક જોવા મળે કે કોઇની બહેન નહોતી ...ક્યાંક તો માતા પિતા જ હાજર ન હોય...ત્યારે જે લખાઈ જાય છે એ લખ્યું છેં..જો આ લેખ વાંચીને કોઇ એક ઘર નો સંબધ પણ પાછો પહેલા જેવો થઈ જશે તો મને આંનદ થાશે..જોડણી ની ભુલ ન જોતા..વાત ને સમજવા ની કોશીષ કરશો તો મને વધારે ગમશે..બધા પોતાનાં સગા ઓ ને આઅ લેખ મોકલાવજો જેની સાથે તમારે સંબધ ટુટી ગયો હોય કદાચ બધુ સારુ થઈ જાય..બસ થોડુ જતુ કરવાની ભાવના આપણે પણ રાખવી જ પડશે..

સંબંધો એ શમણા રચાવ્યા બહુ હતા...
અને હવે સંબધો મ્રુત્યું પામ્યા છે બધા..
સંબંધો ને સાચવ્યા ફુલ ની જેમ ..
પણ એનાં જ કાંટા ચુભ્યાં છે મને બહુ...

ક્યારેક આવુ બોલાઈ જાવાય સંબંધ માટે..
સંબંધ એટલે શું ???
બે વ્યક્તિ ઓ નાં હ્રદય ની વચ્ચે બાંધેલો એવો બંધ કે જે સુંવાળો હોય, શાણપણ વાળો હોય, અને સમજણ વાળો હોય..એમાં એક પણ તડ પડે ને તો એ બંધ ને ટુટતા વાર નથી લાગતી..
કેટલાયે ઘરો માં સાંભળ્યું છે કે ભાઈ- ભાઈ ને બોલવાના વ્યવહાર નથી હોતા..ભાઇ -બહેન નાં બોલવાના વ્યવહાર નથી હોતા..અરે એક ઘર માં રહીને દીકરો માતા પિતા સાથે બે વર્ષ થી વાત નથી કરતો..મને વિચાર આવે કે એવા કેવા ઝગડા થયા હશે કે આટલા અબોલા હોઈ શકે બે જણ વચ્ચે..પણ હા આ એક કડવું નગ્ન સત્ય છે કે આવુ બને છેં..જે માતા એ જન્મ આપ્યો એની સાથે દીકરા વાત નથી કરતા હોતા...અને જે ભાઈ- ભાઈ અને ભાઇ- બહેન, સાથે મોટા થયા હોય અને જ્યારે નાના હતા ત્યારે જે બધુ પોતાનાં ભાઈ બહેનો ને આપી દેવાની વ્રુતી ધરાવતા હોય છે એ અચાનક બદલાઈ જાય છે ...અને સામે મળે તો બોલવાના વ્યવહાર નથી હોતા...બધાએ એકબીજા સાથે ન બોલવાના સમ લઈ લીધા હોય છેં...અરે એવા કેવાં ઝઘડા હોય કે આટલું વેર....બધા એકબીજાને મલ્યાં છે તો કોઇ રૂણાનુબંધ ને લીધે જ તો..એ રૂણાનુબંધ પુરુ કરવા ની બદલે આપણે પાછુ એન બાકી રાખીયે છે અને પાછા આવતા જન્મ માં મળવાનું નક્કી કરી લઈયે છેં...સારા સારા ઘરો માં આ બધુ જોવા મળે છેં...અને કોઈ નાં પેટ નાં પાણી એ નથી હલતા..હવે તો એવુ પણ સંભળાય છે જ્યારે કોઇ સંબંધ ટુટે છે ત્યારે કે એમાં શું આ તો ઘરે ઘરે જોવા મળે છે ..અરે પણ તારા ઘર માં શું કામ થયું એ વીચાર ને ...કેટલાયે ઘર એવા છે કે લોકો ફક્ત એકબીજા માટે જ જીવે છે એ ઘર નાં દાખલા લે ને...જે ઘર માં આવુ થતુ હોય એ લોકો નાં સંબધી ઓ ને વિનંતી છે કે ચુપ ન રહેતા.કારણકે સંબંધ જોડાવા માટે જો તમે નીમીત્ત થશો તો તમને અનેક જાત્રા ઓ કરતા વધારે પુણ્ય મળશે...અને એક એક વ્યકતી ઓ ને કહુ છુ કે ન ફાવે તો ઓછુ બોલો પણ સંબધ જોડાવા ની કોશીષ કરો ...કારણ સમય નીકળશે એમ એમ એ સંબધ દુર થતા જશે...પછી જોડાવું શક્ય નથી...કોઇ પણ સંબંધ હોય એ..મિત્રતા નો હોય કે લોહી નો હોય...વધારે દીકરા વાળી મા વધારે દુખી એ પણ એક હકીકત છેં...એની માટે બધા દીકરા સરખા હોય છેં પણ એ લોકો એ જ માતા ને કહે છે કે તને હુ વહાલો નથી...આવુ બોલીને હે દીકરા ઓ માતા ને ગાળ ન આપો...કારણકે માતા એ એ બધા બાળકો વખતે પ્રસવ ની વેદના સરખી જ ભોગવી હતી..અને એટલા જ ધયાન થી નવ મહીના પોતાને સંભાળ્યુ હતુ..એક પુરુષ આખી જિંદગી માં સ્ત્રી ની સૌથી વધારે દેખભાળ ત્યારે જ કરે છે જ્યારે એ સ્ત્રી એનાં ગર્ભ માં એના સંતાન ને ઉછેરતી હોય છેં...અને એ જ બાળક મોટો થઈ ને એ જ પિતા ને કહે છે કે આજથી મારે અને તમને સંબધ કાંઇ નહી....


લોકો ની વાતો સાંભળી યે ને ત્યારે લખાઈ જવાય છે કે....

સંબંધો ને લાગણી સાથે સંબંધ નથી હોતો ..
અને મિત્રો ને વફાદારી સાથે સંબંધ નથી હોતો...
ટુટે છે ઘડી વાર માં હ્રદય કોઈક નું
એ જાણવા માટે કોઇને સમય નથી હોતો...
જિંદગી જીવે રાખવાની છે પુરી કરવા માટે
આ દુનિયા માં આપણે હોઈયે કે ન હોઇયે એનાંથી
કોઇ ફરક નથી હોતો...
...........
સંબંધો ને સંભાળવા પડે છે વધારે...
અને પ્રેમ ને પંપાળવો પડે છે વધારે...
ન સંભાળીયે અને ન સાચવીયે જો સરખાં..
તો
આ જ સંબંધો દુખ આપે છે વધારે...
...........
સંબંધો વણસી જાય પછી શું ??
અને કંઇક બોલાય જાય પછી શું??
હ્રદય માં તીરાડ પડી જાય પછી શું ??
અને સંબંધ ટુટી જાય પછી શું ??
વસાવ્યા હતા જેમને આંખો માં
એ જ ખૂંચવા લાગે ..તો હવે શું ??
ચલો જવા દ્યો બધી વાતો
હવે તો એ અમારાં રહ્યા નથી હવે શું ??
...........
કરશે લોકો પથ્થર ની પૂજા..પૂજાવુ હોય તો પથ્થર બની જા...
અને આ પથ્થર જેવા માનવી ઓ ની દુનીયા માં
જો જીવવું હોય તો હ્રદય વિહોણુ બની જા..
મારા છે મારા છે બધા એમ કરી ને જીવતા હતા આટલા વખત થી ,,
હવે તો ભ્રમ ને ભાંગી ને હકીકત સમજી જા..
............
હવે કફન ની જરુરત ક્યાં છે મને...
મિત્રો એ બેવફાઈ નું કફન ઓઢાવી દીધુ મને...
હવે બે ગજ જમીન ની જરુરત ક્યાં છે મને બળવા માટે
પોતાનાં ઓ એ એમનાં શબ્દો થી બાળી નાખી છે મને..
ચિંતા ન કરો એ દોસ્તો , જે હજી મારા છો..
હુ તમારી જ છું ,ત્યાં સુધી, જ્યાં સુધી બેવફા નહી બનો તમે.....

નીતા કોટેચા....
posted by નીતા કોટેચા at 6:00 PM 8 comments

Monday, December 1, 2008

હવે પોતે રખેવાળ બનો...

આપણો દોષ આપણે ક્યારે બીજાં પર ઢોળવાનું બંધ કરશું..આપણે ત્યાં કાંઇ પણ થાય આપણે કહેશું કે પાકીસ્તાન એ કર્યું...કારણ કે એ તો આપણાં મા થી નીકળેલ દેશ છે ને...એટલે એને કહેવાય કાંઇ પણ.. અરે પોતાની ભૂલ તો ગોતો..પણ અહીયા તો બધાને પોતાનુ ઘર ભરાય છે કે નહી એની ચિંતા હોય છે ને...બધે બાજુ બસ પૈસા ખાવાના..ભલે ને કોઇ ગેર કાયદે ઘુસે છે આપણાં દેશ માં...મને શું??? મને આપતા જાય છે ને પૈસા..હુ મારી આંખો બંધ કરી લઈશ..પાકીસ્તાન એ કદાચ કર્યુ પણ હોય ચલો એ પણ માની લઈયે પણ આપણે શું કરતા હતા??આપણાં નેતા ઓ શું કરતા હતા..આપણાં ચોકીદારો શું કરતા હતા..??
હા હમણાં તો તેઓ રાજ ઠાકરે માં વ્યસ્ત હતા ને...બીચારાં ક્યાં ક્યાં ધ્યાન આપે...છેલ્લાં કેટલાક વખત થી તો આ ચાલુ હતું...પહેલાં બાળાસાહેબ એ મુસલમાનો ને આગળ કર્યાં અને હવે ભત્રીજા એ બીહારી ઓ ને..અરે આ તો આપણાં જ દેશ નાં બચ્ચાં છે ભઈ..એ લોકો ને આવતા રોકો છો ..આતંકવાદી ઘુસી ગયા ત્યાં સુધી શું કર્યું??એને અટકાવવાની તાકાત રાખોને...શુંકામ સાદાં સીધાંલોકો નાં મગજ માં ઝેર ભરો છો...મુસલમાનો માટે તો ઝેર ભરાઈ ગયુ છેં...
મારી દીકરી ની ૪ friends કે જે મહારાષ્ટ્રીયન...વર્ષો નો સાથ એક બીજાનો..કેટકેટલી વાતો મા ચર્ચા થાય બધાં વચ્ચે...પણ કોઈ દિવસ કોઇવાત પર એવો ઝગડો ન થાય કે અબોલા ન થાય..હમણાં જ્યારે આ હુમલો થયો.મુંબઈ માં sms ફરતા થયાં..કે ક્યાં છે રાજ ઠાકરે ની સેના..એને કહો મુંબઇ ને બચાવનાર માં ૨૦૦ જુવાન આવ્યા હતા એ બધા એ જ બાજુનાંહતા જે લોકો ને એ અહીંયાથી ભગાવવાની કોશિશ કરે છેં..
મારી દીકરી એ યાદ રાખીને એ sms એ friends ને ન મોકલાવ્યો..કે એમને દુખ થાશે..પણ એણે એ વાત એના orkut નાં 1 st પાના પર લખી..એ friends નો ફોન આવ્યોં કે વીંધી યે તુમને જાનબુજકર હમે સુનાને કે લીયે લીખા હૈ..વીધી એ એને બહુ સમજાવવાની કોશિશ કરી..કે તુ શું કામ આટલું બધુ વિચારે છેં આટલુંસમજ એ એક નેતા છે અને એ ફકત જાત પાત નુનામ લઈને આપણાં મગજ અને લાગણી ઓ સાથે રમે છેં..
પણ એ માનવા તૈયાર નથી..એનાં મગજ માં એકદમ બેસી ગઇ છે એ વાત કે મરાઠી ઓ ને જ તે ખરાબ કહ્યા,અને હવે વાત પણ કરવાની બંધ કરી નાંખી છેં...આ નેતા ઓ નાં કામ..આટલા જુવાન બાળકો નાં મગજ માં રાઈ ભરાવી નાંખી કે મરાઠી એટલે કાંઈકખાસ..રસ્તા પર મે સાંભળ્યું છે મરાઠી છોકરાઓ નેબોલતા કે અવાજ મત કર નહી તો બુલાતા હૈ અભી રાજ ઠાકરે કો..નેતા ઓ ને ખબર છે આમ જ આતંકવાદી ઓ નાં જનમ થતાહશે..પોતાની જાત પોતાનાં ધર્મ માટે આટલું જનુનન ભરો...એ લોકો ને જીવવા દ્યો શાંતિ થી...
શું કામ કુમળી વય નાં બાળકો નાં મગજ ને ખરાબ કરો છોં..
એમાં આપણાં નેતા ઓ ...કોઈક નાં લખેલા પ્રવચન જોઇને બોલતા આવડે પણ એમનેએમ એ લોકો સારુ નથી બોલી શકતા એ નક્કી થઈ ગયું ..કારણકે જોયા વગર નુ એ લોકો કેવુ બોલે છે એ દેખાઈ ગયુ...આ આપણાં નેતા ઓ...નરેન્દ્ર મોદી કહે છે કે અમેરીકા ની જેમ આપણે હવે આપણા પર હલ્લો ન થાય એ ધ્યાન રાખવાનું છેં..અરે મારા ભાઈ મુંબઈ માં થયુ ત્યારે આ અક્કલ આવી ગુજરાત માં થયુ ત્યારે આ શાણપણ ક્યાં ગયુ હતું.પણ પાછું બીજા ની ભુલ કેમ શોધવી?? ..હુ બધાને કહુ છુ કે આ વાચ્યાં પછી કોઇ મારી સાથે વાત કરવા ન આવે કે નરેન્દ્ર મોદી કેવા વ્યક્તી છેં હુ નથી કહેતી કે તેઓ ખરાબ છેં પણ એમની માટે કહુ એટલે આખુ ગુજરાત મારા પર બોલવાનું શરૂ થઈ જાય છેં..આપણે જાગ્રુત થવાનું છે કે તેઓ પણ એક નેતા છેં...એ મુંબઈ નાં રાજ ઠાકરે હોય કે ત્યાંનાં હોય..
હવે બધાં એ વિચારવાનો સમય આવી ગયો છે..તમારે ત્યાં કોઇ ને ઘર ભાડા પર રહેવા આપ્યું હોય જરા એને ચકાસો..તમને કાંઇ અજુગતુ લાગે જરા એની વાત જઈને પોલીસ ને કરો..હવે એ લોકો પણ બધી વાત માં સહકાર આપશે...અને ન આપે તો જઇને મીડ ડે વાળા ઓ ને લખાવી આવો કે આવુ થયુ છે અને એ પોલીસ સાંભળતી નથી..હવે આપણે જ આંખો ખુલ્લી રાખવી પડશે અને ચોકી પહેરો ભરવો પડશે...

અને છેલ્લે આપણાં દેશ નાં એ જુવાનો ને સલામ કે જે લોકો શહીદ થયા અને એ લોકો ને પણ જેમણે જાન ની ચિંતા કર્યા વગર આપણને બચાવ્યાં..


નીતા કોટેચા
posted by નીતા કોટેચા at 11:31 PM 3 comments

Friday, November 28, 2008

આ લોકો ફક્ત એક જનુની આતંકવાદી છે

આ લોકો ની કોઈ જાત નથી..આ લોકો નો કોઈ ધર્મ નથી..
કોઇ ન કહો કે એ મુસ્લિમ છે કે બીજાં કાંઇ છે..
આ લોકો ફક્ત એક જનુની આતંકવાદી છે ..
એ કોઇ પણ દેશ નાં હોઇ શકે છે...
આ બચ્ચાં જે આવ્યા છે એ ૧૭ થી ૨૨ વર્ષનાં છે..
ભણતર ઇંગ્લેડ માં થયું છે..
વિચારી ને જુઓ જરા કે,
એમની મગજ ની કેવી હાલત કરી હશે એમના થી ઉપરના ઓ એ કે,
એ લોકો મરવું છે એ નક્કી કરીને આવ્યા છેં..
મને તો દયા આવે છે આ બાળકો પર...એમને સીખડાવનાર બીજા છેં..
આપણું બાળક બગડે તો વાંક આપણો હોય્...બાળક નો નહી ..
એમ આ લોકો ને પોતાનાં જીવન ની કાંઇ ચીંતા નથી ..હદ કહેવાય..
શું હશે આ લોકો નું જીવન..ક્યારેક વિચારીયે તો ભેજુ કામ નથી કરતુ...
નીતા કોટેચા
posted by નીતા કોટેચા at 6:12 PM 4 comments

Thursday, November 27, 2008

ક્યાં ખોવાઈ ગયા

આપણે અંદર અંદર જગડવાનું બંધ કરશુ તો જ બહાર વાળા ફાયદો નહી ઉઠાવે...

કયાં છે રાજ ઠાકરે ભાઈ કે, જે જવાન નેતા છે કાંઇક બદલાવ લાવશે એમ વિચારીને એમને વોટ આપ્યો હતો..અને એ ભારત નાં જ ભાગલા કરાવા બેઠા..૨ દિવસ થી તો ક્યાંય પત્તો નથી એ ભાઈ નો...મારુ ..મારુ મુંબઇ કરીને... બુમો પાડતા હતા.હવે મુંબઈ ની હાલત ખરાબ છે ત્યારે ક્યાં ખોવાઈ ગયા????

નીતા કોટેચા
posted by નીતા કોટેચા at 5:30 PM 1 comments

આતંક વાદ શું છે?

હંમેશા જ્યારે આ ઘટના થાય ત્યારે આપણે આ બધી ચર્ચા કરતા હોઈયે છે..પણ બે દિવસ પછી આપણે બધુ ભુલી જાઈયે છેંં..ઘરનાં ડાઇનીંગ ટેબલ પર બેસી દાળઢોકળી ખાતા ખાતા આપણે આપણા સીસ્ટમ ની બુરાઈ ગોતીયે છેં..અરે ૯.૫ ની લોકલ મોડી આવે તો આપણે કહીયે છે કે શું કરે છે આપણી સરકાર...ભઈલા તે શું કર્યુ અત્યાર સુધી દેશ માટે એ તો કહે..એક જુલ્મ ની વિરુધ્ધ અવાજ ઉઠાવાની તાકાત તો છે નહી ..પણ સરકાર શું કરે છે એ બોલતા જાણે બરોબર આવડી ગયુ છેં...ત્યાં હમલા ચાલતા હોય તો એક સમય નું ભોજન આપણે છોડી નથી શક્તા...અને વાતો મોટી મોટી કરતા આવડે છે ખાલી...અરે એ લોકો મર્યા છે ..ચલ હવે એની માટે કાંઇક ભેગુ કરીને એના ઘર સુધી તો પહોચાડી આવ...ના એ તો સરકાર સંભાળશે ને..અરે ભઈલા એમની આત્મા ને શાંતી મળે એ પ્રાર્થના તો કર..અરે સમય ક્યાં છેં...હવે એમણે સારુ કામ કર્યુ છે તો એમનુ સારુ જ થાશે ને...મારે તો મારા બચ્ચા ઓ ને સંભાળવા પડશે ને...અરે ભઇલા તો શું કામ સીસ્ટમ ની રામાયણ કરે છેં..કમસેકમ મુંગો તો રહે...એટલુ તો કરી જ શકે છે તુ...આપણે તો મુંગા રહીને પણ આપણા દેશ ને સાથ નથી આપતા..અરે નેતા ઓ કાંઇ નથી કરતા ચલો માન્યુ કે એ કાંઇ નથી કરતા..તો તે એ ખુરશી પર બેસવાની ક્યારેય મહેનત કરી ..ના...બસ ખાલી વાતો વાતો ને વાતો...આપણે કહીયે કે શું ધ્યાન રાખે છે આપણા માણસો કે આમ આ લોકો ગુસી આવે છે ...મને કહો કે ક્યાં ક્યાં ધ્યાન રાખે એ લોકો..આટલો મજબુત દેશ પન એમનુ W.T.C નહોતા બચાવી શક્યાં..મહેરબાની કરીને હુ બધા ને કહુ છુ કે પોતાની છાપ પાડવા માટે કે મને બોલતા સારુ આવડે છે ક્યાંય પણ ઉભા રહીને ચાલુ ન થઈ જાવ..પહેલા પોતે વિચારો કે મે કાંઇ ફાળો આપ્યો છે...પછી જ તમને બોલવાનો હક્ક છેં...આ મારી વિનંતી ગણો તો વિનંતી અને આક્રોશ ગણો તો આક્રોશ...
નીતા કોટેચા
--
posted by નીતા કોટેચા at 4:57 AM 4 comments

Wednesday, November 5, 2008

ઓબામા

ગાંધીજી જ્યાં હશે ત્યાં ખુશ થતા હશે કે, ક્યાકનાં પણ કાળીયાએ આખરે ગોરીયા ઓ નુ હ્રદય જીતી જ લીધુ.

મને તો એમ થાય છે કે ઓબામા, ગાંધીજી તો નથી ને...

નીતા કોટેચા...



posted by નીતા કોટેચા at 8:40 PM 6 comments

Wednesday, October 29, 2008

શું કરવુ જોઈયે ???
........................

મારી એક friend છેં, એણે એક સંત ને કે એક મુની ને, મારે એ બાબત ચોખવટ નથી કરવી..

પણ એણે એક વ્યક્તી ને પોતાનાં ગુરુ તરીકે માન્યા છેં...

હવે તેને ખબર પડી કે, એ વ્યક્તી બહુ ખોટા કામ કરે છેં... મને કહે શું કરુ?

મે કહ્યુ "એને છોડી દે..."

તો કહે "ના ગુરુ તો જિંદગી ભર એક જ હોવા જોઈયે..."

મે પુછ્યું "પછી ભલે એ ખોટું કરે"..

તો કહે "હા,વારે વારે બદલાવાય નહી.."

મે કહ્યુ "આવો નિયમ કોણે બનાવ્યો છેં?"

તો કહે "કોઇએ નહી... પણ આપણો પતિ કાંઇ ખોટું કરે તો આપણે ચલાવીયે જ છે ને???

અને પત્ની ખોટું કરે તો પતિ પણ ચલાવી લે છે....તો ગુરુ નું કેમ નહી.... "

શું જવાબ આપવો????


કારણ, પતિ અને પત્ની ધર્મ ના રખેવાળ નથી હોતા એટલે એમની ભુલ ક્ષમા ને યોગ્ય છેં ...

પણ ગુરુ ખોટું કરે તો પણ કેમ એના વિરુધ્ધ આપણે જતા નથી.. એ કોઈ પણ ધર્મ ના હોય????????

શું આપણે, ગુરુ થી ડરીયે છે એટલે????

આપણે એમને પ્રેમ કરીયે છે એટલે???

કે

આપણે એક આંધળો ભરોસો એમના પર કરી દીધો છે એટલે????


ગુરુ ની ભૂલ ને, પતિ અને પત્ની ની ભૂલ સાથે સરખામણી મા લેવાય???



નીતા કોટેચા


posted by નીતા કોટેચા at 1:50 PM 6 comments

Saturday, October 18, 2008

બાળમાનસ
........................

ટીવી માં આવતી સીરીયલો મા થી બાળકો શું વિચારે છેં એ પણ જાણવા જેવું છેં...

મમ્મી પપ્પા નો આગ્રહ હતો કે એમનાંબાળકો રોજ આવતી સીરીયલ રામાયણ અને મહાભારત જોવે..

પોતાંને તો સમય હોય નહી એટલે એ લોકો સંસ્કાર એ ડબ્બા મા થી લેવા માટે કહે..

આવા જ એક ઘર માં મારે જવાનું થયું..

બાળકો બેઠા બેઠા સીરીયલ જોતા હતા..

સીરીયલ પુરી થઈ...

જાણે એક home work પુરુ કર્યું એવો ભાવ મે બચ્ચાઓનાં મોઢાં પર જોયો..

મમ્મી પપ્પાવખાણ કરતા હતા કે અમે તો આ એક આદત રાખી જ છે કે આ સીરીયલ તો જોવાની જ...

બધા વાતો માં પડ્યા..

હુ બધાની નજર બચાવીને બચ્ચાઓ પાસે ગઈ...

મે પુછ્યું "તમને કઈ વાત વધારે ગમી આ સીરીયલ માં"

તો કહે "રામાયણ માં મને તો હનુમાન જી બહુ ગમ્યા.

અને મહાભારત માં મને બધા જ ગમ્યાં..."

મે પુછ્યુ " શું ન ગમ્યું ?"

તો જે જવાબ મલ્યો એ સાંભળીને મને બહુ જ અચરજ થયું

મને એ બચ્ચા ઓ "કહે કે અમને એક વિચાર આવે છેં પણ કહીયે કોને...?"

મે કહ્યું "મને કહો.."

તો કહે "રામાયણ માં યુધ્ધ થયું, કારણ કે રાવણ, સીતા માતા નું હરણ કરી ગયાં હતા...

અને મહાભારત માં યુધ્ધ થયું...કારણકે પાંચાલી નું અપમાન થયું હતુ...

તો અમનેએમ વિચાર આવે છે કે તેઓ રામ ભગવાનનાં પત્ની હતા અને ત્યાં પાંડવો નાં પત્ની હતા એટલે આ યુધ્ધ થયું..પણ આખાં ગામ માં જો બીજી કોઇ ની પત્ની સાથે આ થયું હોત તો આ યુધ્ધ થાત?

અને બીજાં કેટલાં લોકો એ યુધ્ધ માં મરણ પામ્યા..તો શું એ લોકો ને તકલીફ નહી થઈ હોય...."

શું જવાબ આપુએ મને પણ ન સમજાણું...

ત્યારે તો મને કોઈકે બોલાવ્યું એટલે મારે ત્યાં થી ચાલ્યું જવું પડ્યું..પણ હવે જ્યારે એ બાળકો પાછાં મળશે ત્યારે એ લોકો મને પૂછશે તો હું શું જવાબ આપું???

શું આપ લોકો આ બાળમાનસ માને એવો કોઇ જવાબ આપી શકશો મને???

અને શું એ લોકો નાં વિચાર ને ખોટો ગણાવાય??

કે પછી પાછું હંમેશ ની જેમ એનેચુપ કરી દેવા નાં કે તને ન સમજણ પડે...

કે પછી માતા પિતા એ શીખવા જેવુ છે કે જ્યાં બાળકો નાં સવાલો નાં સમાધાન થાય એવી જ જગ્યાએ એમને આપણાં સંસ્કાર આપવા માટે મોકલાવો..નહી તો આવા કેટલાક સવાલો એમને જિંદગી ભર હેરાન કરશે...


નીતા કોટેચા
posted by નીતા કોટેચા at 11:56 AM 6 comments

Wednesday, October 8, 2008


નોનવેજ ભાગ (૨)
................................

નોનવેજ માટે મે જે વાત લખી હતી એમાં બહુ ઓછાં લોકો એ પોતાનાં પ્રતિ ભાવ આપ્યા..તો મને થયુ કે કદાચ વધારે લોકો ખાતા હશે એટલે જ પ્રતિ ભાવ નથી આવ્યા..પણ ૫ દિવસ રહીને મને mail આવવાના શરૂ થયાં...
એમાંથી જે mail થી હ્રદય ને વધારે દુખ થયુ એ આપને જણાવું છું...
એક વડીલ બા નો mail આવ્યો..
નીતા, કેટલાં વખત થી જે વાત મારા મનમાં ચાલતી હતી અને જે હું કોઈને નહોતી કહી શકતી એ આજે તે કહી દીધી....
મારા દીકરા,વહુ એમનાં બાળકો અને મારી દીકરી જમાઈ બધાં જ ખાય છેં મને બહુ દુખ થાય છેં પણ કોઈ માનતું નથી....
હુ આ વાત ને લયને ખૂબ જ દુખી થાવ છું પણ એમને કાંઇ કહેવા જેવું નથી રહ્યુ હવે એ લોકો મોટાં થઈ ગયાં છે ને...
બીજો MAIL આવ્યોં
હું એક ૮૦ વર્ષ ની ઉમર નો દાદો છું...
અને મરવા ની રાહ જોવ છું
નીતા, દીકરા તને એમ થશે કે હું થું કામ આવું કહુ છું પણ ઘર મા આ નોનવેજ ની વાસ સહન નથી થતી ઘરમા ખાવાનું નથી ભાવતું. તોય એ લોકો નું જમવાનું થઈ જાય પછી હું ઘરે આવું.
નીતા જ્યાં સુધી તારા દાદી જીવતા હતા ત્યાં સુધી એ મને અલગ જમ્વાનું બનાવી આપતા હતાં,
પણ હવે તો મારે એ જ વાસણ માં બનાવેલું ખાવું પડે છે ..અને હું એમને કહુ છું કે મને વ્રુધ્ધાશ્રમ માં મૂકી આવો તો એમની ઇજ્જત જાય છેં...
જીવવું ભારે થઈ ગયું છે...
મને એમનાં આંસું જાણે mail માં દેખાતા હતા...
મને એ નથી સમજાતુ કે જે બાળકો ને આપણે નાનપણથી હાથ માં રાખીને મોટાં કર્યા આપણે જેને આપણે જ બંધુ સીખડાવ્યું...
એ જ બાળકો હવે આપણી શું હાલત હોય એ કેમ ન સમજે...અને કેમ આપણી વાત ન માને..
એ લોકો કેમ નથી સમજતા કે કોઈ દિવસ પણ એ લોકો માતા..પિતા કરતા મોટાં તો નહી જ થઈ શકે...
posted by નીતા કોટેચા at 9:45 PM 6 comments

Wednesday, September 24, 2008

અને મારી પાસે આનો કોઇ જવાબ ન હતો...
...........................................................

અમારુ મિત્ર વર્તુળ નાનુ છે પણ મજાનું છેં ...

અમે લોકો બધા જ્યારે મલીયે ત્યારે કોઇ ને કોઇ વાત પર અમે બધા ચર્ચા કરીયે...

અને કોઇ એક વાત પર સર્વ સમંતી થી નક્કી કરીયે કે હા આ બરોબર છેં અમારા બાળકો પણ અમારી સાથે એ ચર્ચા માં ભાગ લે...ખુબ આંનદ આવે....


એ ચર્ચા ક્યારેક રાજકરણ પર હોય....

ક્યારેક સાસુ વહુ પર હોય

ક્યારેક સાથે રહેવુ સારુ કે અલગ રહેવુ સારુ એના પર હોય...


ક્યારેક આપણે ક્યાંક્યાં સ્વાર્થ આપનાવ્યો છેં એના પર હોય....


ક્યારેક બધા પોતાનાં ગુન્હા કબુલ કરે એવો દિવસ રાખીયે....

આવુ કાંઇક નવુ કરતા રહીયે...જ્યારે મલીયે ત્યારે...

ક્યારેક એ મુલાકાત મહીના માં એક વાર થાય તો ક્યારેક એ મુલાકાત છ મહીને એક વાર થાય....

પણ ગમે, બધાનાં વિચારો જાણવા મળે.....

આપણા બાળકો શું વિચારો ધરાવે છે એ ખબર પડે...


અમારા મિત્ર વર્તુળ માં એક જોડી મુસલમાન છે...

હમણા જ્યારે છેલ્લે મલ્યાં ત્યારનો વિષય હતો કે નોનવેજ ખાવુ જોઇયે કે નહી ....

અમારી ચર્ચા આ પ્રમાણે હતી....


મે કહ્યુ ક્યારેય ન ખવાય ....એની માટે વિચારવુ પણ પાપ છેં .....

અમારા મુસલમાન મિત્ર નું કહેવુ હતુ કે અમાર ધર્મ માં એને પાપ નથી ગણાતુ તો અમે કેમ માનીયે?


મે કહ્યુ "ધર્મ માં ભલે નથી કહેવાતુ પણ મને એક વાત નો જવાબ આપો તમારુ કાળજુ ન કપાઈ જાય જ્યારે તમારી

સામે કોઇ એક માણસ મુરગી ની મુંડી કાપે અને પછી એનાં પીછા કાપે અને અંદર થી ... "

મારાથી આગળ બોલાણુ પણ નહી...



તો અમારા એ મિત્ર એ કહ્યુ કે "જુઓ ભાભી અમને એવુ કાંઇ ન થાય..તો અમે શું કરીયે? "

મને એ વાત નો જવાબ આપો જો તમારી દીકરી ને કોઇ છોકરો પસંદ પડે અને એ નોન વેજ ખાતો હશે તો તમે શું કરશો? "


મે કહ્યુ "મે મારી દીકરી ને સમજાવ્યુ છે કે, જો તમે કોઇ મચ્છી માર્કેટ પાસે થી નીકળો છો તોય તમારાથી એ વાસ

સહન નથી થાતી તો તમે એવા લોકો નાં ઘર માં કેવી રીતે રહી શકશો.......

તો પ્રેમ કર્યા પહેલા વિચારજો કે તમે તમારુ આખુ જીવન દાવ પર લગાવો છો...... "


અને મે એ મારા એ મિત્ર તરફ જોઇને કહ્યુ કે "મને એક વાત કહો હુ તમને એક દુધ નો ગ્લાસ આપુ અને તમે એ દુધ

પીતા હો અને તમારા નાક ની નસકોરી ફુટે અને એ લોહી નાક માં જાય તો શું તમે એ દુધ પી જાશો?(આ કોઇ સંત નુ

બોલેલુ વાક્ય છે જે સાંભળ્યુ હતુ એ ત્યારે યાદ આવી ગયું) "


તો એમણે મોઢુ બગાડ્યુ કે શું ભાભી એ કેમ પીવાય ?


તો મે કહ્યુ તમે તમારુ લોહી નથી પી શક્તા પણ બીજાને ચીરી ને ખાઈ શકો છો?


તો એમની પાસે કોઇ જવાબ ન હતો॥મને એમ થયુ કે હુ એક જણ ને નોન વેજ ખાવામાથી બહાર કાઢી શકી..અને મનમાં રાજી થાતી હતી..



ત્યાં એ ભાઈ બોલ્યા। "મને એક વાત કહો ભાભી વિચારી લ્યો કે તમારી દીકરી જેને પરણી એનાં ઘરમાં નોન વેજ

ખવાતુ હશે તો શું કરશો? "



મે કહ્યુ હુ એનાં ઘર નું પાણી પણ નહી પીવુ .... એને ખાઈ માં પડવુ હોય તો હુ એને બચાવવાની પુરી મહેનત કરીશ

પણ જો તોય એવુ પાત્ર મલ્યુ તો કમસેકમ હુ તો એનાં ઘર નું પાણી પણ નહી પીવું......


તો એ ભાઈ એ જવાબ આપ્યો ભાભી તો તૈયાર રહેજો તમારી દીકરી નાં ઘર નું પાણી ન પીવા માટૅ...કારણકે આજ કાલ

૧૦ માં થી ૮ ગુજરાતી ઓ કદાચ નોનવેજ ખાતા હશે...


અને આજ કાલ નાં બચ્ચાઓ તો બધા જ ખાતા હશે....


અને મને થોડા દિવસ પહેલા જ સાંભળેલી વાત યાદ આવી ગઈકે હકીકત માં એક ગુજરાતી ઘરમાં બાપ અને દીકરી

ઓ પોતે નોનવેજ બનાવતા હતા.....માતા બનાવી નહોતી ...બનાવવા માટે ના પણ પાડી નહોતી શક્તી..... કારણકે

એ લોકો એ કહી દીધુ હતુ કે અમે આના વગર નહી જીવી શકીયે......


અને મારી પાસે આનો કોઇ જવાબ ન હતો...



નીતા કોટેચા
posted by નીતા કોટેચા at 5:36 AM 6 comments

Monday, September 15, 2008





શેરબજાર ભાઈ
..........................

હમણા શેરબજાર ભાઈ ઉંધે માથે પટકાણા છેં..
બધાનાં મોટા દિવસો બગડ્યા છેં આ વખત,
આ બજાર વાળા ઓ ની એક વાત મે વર્ષો થી જોઈ છ, કે બજાર ઉપર હોય કે નીચે,અહીયા વાળા હંમેશા દુઃખી જ હોય, એ લોકો શેર્સ લે તો પણ દુઃખી હોય એને વેચે તો પણ દુઃખી હોય...
લે તો કહેશે કે, હાય, ભાવ ઉતરી ગયા...હજી નીચેમા મલત..
અને વેચે તોય દુઃખી હોય કે, હાય ભાવ વધી ગયા, હજી ઉપરમાં વેચી શકત..
કેટકેટલી.....નુકશાની કરે, તોય આનુ વ્યસન એક વાર લાગ્યુ એ આમાથી નીકળી ન શકે...
પાછો ત્યાં જ જઈને ઉભો રહે..
એમાં હવે બહેનો ને આનુ વ્યસન લાગવા મંડ્યુ છેં..

એટલે એમના ઘરનાં બચ્ચાઓ નાં વિષે વિચારો...

પહેલા બાપા હારી ને આવતા તો ગુસ્સો ઘર પર નીકળતો. હવે મમ્મી પણ ગુમાવીને આવે એટલે વગર મફત નાં ઓલા ભુલકાઓ નો વારો નીકળે...
અને એ લોકો પણ પાછા એવા જ થાય...મોટા થઈને...

હું એક સગાનાં ઘરે ગઈ હતી .
ત્યાં ચોથા ધોરણ માં ભણતુ એક બચ્ચુ ટીવી જોતુ હતું...
હુ એની રુમમાં એને મલવા ગઈ.
મને એમ કે એ કાર્ટુન જોતો હશે તો ત્યાં CNBC ચાલુ હતુ.
મને એટલુ અચરજ થયું...મે એને પુછ્યુ શું બચ્ચા કેમ ચાલે છ, મજામા?
તો એણે હાથનાં ઈશારા થી જવાબ આપ્યો એક મીનીટ ....
હુ ઉભી રહી...
પછી જરા વાર રહીને મને કહે "હા આંટી જુઓ, એકદમ મજામા"
મે પુછ્યુ "શું જોતો હતો?"
તો કહે "પપ્પા એ જે શેર્સ લીધા છે એનો ભાવ જોતો હતો.."
આજે એમના ભાવ વધ્યા...આજે ઘરમાં રામાયણ નહી થાય...
અને પછી પોતે જ હસતો હતો . મને ખબર નહોતી પડતી કે હુ શું બોલુ...
એટલી ઉથલ પાથલ મારા હ્રદય માં મચી ગઈ...
ભાઈઓ અને બહેનો કોઈ આ બજાર વાળા,ખરાબ ન લગાડે...
પણ આપણે થોડુ બદલાવાની જરુરત છે...

આપણે આપણા ઘરનું હાસ્ય અને આપણા બચ્ચાઓ નું બાણપણ બેઈ, આમા હોમીયે છેં....


posted by નીતા કોટેચા at 7:20 PM 6 comments

Thursday, September 11, 2008

પ્રાર્થના
...........
એક મંદિર માં જવાનું થયુ॥ત્યાં જોયુ બધા આંખ બંધ કરી ને પ્રાર્થના કરતા હતા।મને વિચાર આવ્યો કે ભગવાન ની મુર્તી તો દેખાય નહી, તો શું આનંદ આવે॥પ્રાર્થના પુરી થઇ એટલે મે બે ત્રણ જણ ને ઉભા રાખી ને પુછ્યુ કે "મને જરા કહેશો કે, કેમ તમે આંખ બંધ રાખો ?
જવાબ
૧) આંખ બંધ રાખીયે તો આપણને આપણા પાપ બરોબર દેખાવા લાગે તો એની માફી માંગી શકીયે।
૨) ભગવાન નાં મુખ પર નજર નથી ટક્તી જરા તાપ લાગે છે। આપણે જ એટલા પાપી છે, તો એમનાં મુખ સામે જોઈ નથી શકાતુ। એટલે આંખ પોતે જ બંધ થઈ જાય છે.
૩) કોણ આવ્યું ?કોણ ગયું? એમાં જીવ જાય છે . પછી પ્રાર્થના માં જીવ નથી રહેતો.એટલે આંખ જ જો બંધ રાખીયે તો કાંઇ ચિંતા તો નહી, શું થાય છે મંદિર માં...

મને એમ થયુ કે બધા કહે કે મંદિર માં જવાથી શાંતી મલે છે પણ મને એમ લાગે છે મંદિર માં પણ શાંતી ત્યારે જ મલતી હશે જો ભગવાન અને આપણા પોતાના સિવાય ત્યા ત્રીજુ કોઇ હોય જ નહી..
posted by નીતા કોટેચા at 9:10 PM 4 comments

Monday, September 1, 2008


પણ માફી માંગવાની કોની?

........................................


આખાં વર્ષનું એક દિવસ મા ભેગું જમી શકીયે ?


આખાં વર્ષનાં વિચારો એક દિવસમાં ભેગાં કરી શકીયે ?


આખાં વર્ષનો પ્રેમ એક દિવસમા થઈ શકે?


તો આખું વર્ષ ભૂલ કરી હોય તો, માફી એક વાર માંગવાથી અને એક દિવસ માંગવાથી કેવી રીતે મળી શકે?


જે કહેવાય છે કે ગંગાજી માં સ્નાન કરવાથી પાપ ધોવા જાય..આવી જ આ વાત છે.


ઠીક છે ચાલો..એ પણ માન્યું કે માફી માંગવી એ સહેલી વાત નથી..એટલે એક દિવસ નક્કી થયો કે આ દિવસે માંગવાની...


પણ માફી માંગવાની કોની?


આપણો અંતરઆત્મા બધું જાણતો હોય છે કે આપણે સાચ્ચામા કોની માફી માંગવી જોઈયે..આપણે કોને આકરા શબ્દો બોલ્યા છેં...



કોને આપણાં શબ્દોથી દુખ થયુ છેં..


પણ મે છેલ્લાં કેટ્લા વર્ષો થી જોયું છે કે જે બે મિત્રો વર્ષો થી વા નથી કરતા હોતા એમના અબોલા હજી અકબંધ હોય છે.

બધાં પોત પોતાની રીતે સાચ્ચાહોય છેં.

હવે મારો જ દાખલો આપું ને..મને શિવાંસકહ્યુ કે મે ભૂલ કરો છો..મને કેટલું ખરાબ લાગી ગયું..પણ આજે હું એની માફી માંગું છું કે ભાઈ તુ તારી રીતે સાચો હતો ..મે ખાલી બધાની સામે ચર્ચા કરી.


ને પોતોને કેટલું હલકું લાગે છે મારું મન, પણ હુ ખાલી એક સંદેશ મૂકી દઉ કે સર્વ ને "મિચ્છામિદુક્કડમ"....


કોઇ મતલબ નથી રહેતો..મિત્રો જેની સાથે મતભેદ હોય કે મનદુઃખ્ , મહેરબાની કરીને એને "મિચ્છામિદુક્કડમ".... કહેશો..તો આજનો દિવસ સાર્થક થયો ગણાવીશ



posted by નીતા કોટેચા at 10:48 PM 9 comments

ક્યારે બદલશું આપણે??????????????




























ક્યારેક એવુ પણ થાય કે આપણા મનમાં કંઇક વાત ચાલતી હોય અને એ બીજા કહી દે..એવુ જ મારી સાથે થયું. હમણા હવે ગણેશજી નાં દિવસો આવ્યાં.

મારે જે કહેવુ હતુ એ અખિલ ભાઈ એ બહુ અસરકારક રીતેકહી દીધુ ....કે જે મન પર વધારે અસર કરશે.

જ્યારે લાંબી લાંબી લાઈન લગાડીને દર્શન માટે જાઇયે છીયે ત્યારે બધુ, સારુ સારુ જ લાગે છે..પણ જે મુર્તી ઓ પાસે ઉભા રહીને જિંદગી ભર ની ખુશી માંગીયે છીયે એની હાલત શુ થાય છે એ તો જુઓ..

posted by નીતા કોટેચા at 4:41 AM 5 comments

Friday, August 29, 2008

વ્રુધ્ધાશ્રમ
.................

આપણા એક મહાન નેતાને કહેવામાં આવ્યું કે વૃધ્ધાશ્રમનૂ ઉદ્ગાટન તમારે હાથે કરવું છે..તો એમણે ના પાડી.કે જ્યારે વ્રુધ્ધાશ્રમ બંધ કરવું હોય ત્યારે બોલાવજો.એમનો કહેવાનો ભાવાર્થ એમ હતો કે, વૃધ્ધોને એમના સંતાનોના ઘરમાં જ આદરનું સ્થાંન મળવું જોઈએ.
તો હવે એ વ્રુધ્ધોનું શું?
નાનપણથી બાળકોને પોતાના કોળીયા ખવડાવ્યા. કદી પણ એ ન વિચાર્યું કે પોતાનું શું થશે? પણ બાળકોની ઇચ્છા પૂરી કરી..આખી જિંદગી એમના માટે ખર્ચી નાખી..બાળકને સારામા સારું ભણતર આપ્યું..આને માટે બહારથી વ્યાજ પર પણ પૈસા ઉપાડ્યા.
અને આજે બાળક જ્યારે મોટું થાય છે; ત્યારે એમ કહે છે કે, એ તો તમારી ફરજ હતી..પણ પોતાની ફરજ એ ન નીભાવેં. માતાપિતાએ એકલાં રહેવું પડે; અને એમની સાથે રહે, તો હેરાન થઇ જાય..તો વ્રુધ્ધાશ્રમ ખોલવામાં શું શરમ? ..હુ તો એમ કહુ છુ કે, આના જેવુ પુણ્યવાળું કોઈ કામ નહી હોય. જ્યારે સમય મળે ત્યારે એક વાર આટો તો મારો વ્રુધ્ધાશ્રમ નોં... રૂવાંડાં ઉભાં થઈ જશે.
મારે એક વાર ત્યાં જવાનું થયુ હતુ. ત્યાં એક વડીલ સાથે વાત થઈ. તે કહે, " બેન! મારા દીકરા વહૂ બન્ને મુંબઈની મોટી હોસ્પીટલમાં બહુ મોટાં ડોકટર છેં. અને અહીયાં હુ બીમાર છું; એની એમને ખબર પણ નથી."
મે પુછ્યુ, " કઈ હોસ્પીટલમાં?" આમ કેટલીય વાર પુછ્યુ, તો પણ બોલ્યાં કે "ના! બેન, જવા દ્યો. એમાં એમની બદનામી થશે." માંડ રડવું રોકી શક્યા. ત્યાં હ્રદય માં આવી વાતો ભરેલી હોય. વૃધ્ધાશ્રમ ખોલીને, ત્યાં માન આપીને વડીલોને સાચવો જુઓ. કેવો આનંદ આવે છે! કદાચ મંદિરમા જવાથી ન મળે એવો આનંદ મળશે,


નીતા કોટેચા
૩૦-૦૮-૨૦૦૮
posted by નીતા કોટેચા at 5:15 PM 3 comments

Tuesday, August 26, 2008

લોકોનું બોલવુ


ગુજરાતી લખાણની જોડણીમાં હું બહુ ભૂલો કરુ છુ; એમ મને અવારનવાર કહેવામાં આવે
છે. અને એ મને પણ ખબર છે. મને બહુ વખત એમ થયુ કે, ભૂલો ઓછી થઈ જાય તેવી,
'ઉંઝા જોડણી' વાપરુ. પણ ઉંઝા જોડણી આપણામાંથી ઘણા લોકોને નથી ગમતી; એટલે એ
વિચાર પણ પડતો મૂક્યો. હવે મેં સંકલ્પ કર્યો છે કે, હું મારી જોડણી સુધારીને જ જંપીશ.
અને ત્યાં સુધી આ બ્લોગ ઉપર લખાણ બંધ. અને જો કદાચ થાકી જઈશ, અને નહીં શીખી
શકુ; તો પહેલાં ફક્ત પોતાના માટે જ લખતી હતી, એમ જ લખીશ. બ્લોગ બંધ...બીજુ શું?
કારણકે, મને પણ નથી ગમતુ કે, હુ ભૂલો સાથે લખુ. મને ખબર પડે છે કે, બધાંને કેટલી
તકલીફો થાય છે. તો બધાં મારા માટે થોડી દુઆ માંગજો કે, હુ મારી ભૂલોને સુધારી શકુ.
હવે મારામાં વધારે ટીકાઓ સાંભળવાની તાકાત નથી રહી. હવે હુ બધાના બ્લોગ વાચીશ
અને પ્રતિભાવ પણ મારી રીતે અંગ્રેજી - ગુજરાતીમાં જ આપીશ! આ લખ્યુ એમાં પણ બહુ
ભૂલો હશે; તો એના માટે પણ હુ માફી ચાહુ છુ. કોઈ એમ ન સમજતા કે, મને કાંઇ ખરાબ
લાગ્યુ છે.


tamara lakhela vakya no

koi arth nikalto j nathi


દુઃખ આ વાતનું થયુ છે..ભુલો બતાડે એ હુ સ્વીકારવા તૈયાર છું, પણ અપમાન ન સહન થાય મારાથી..

પણ એટલુ જરુર કહીશ કે, જો ભાષાને માતૃભાષા કહેવામાં આવે છે; તો માતા પાસે ભુલો
કરવાની બધી છુટ હોય ને? હા, ભાષા સુધારવા પ્રયત્ન જરુરી હોય છે, એટલે એ
સુધારવાનો સમય માંગુ છુ. હીમ્મત રાખીને, 'ઉંઝા જોડણી જેવો, બધાનું કામ સરળ
બનાવી દે તેવો, સારો સુધારો શા માટે ન અપનાવવો? ' એમ પણ મને કદીક થાય છે. બધાં
એ અપનાવે તો કેટલું સરળ બની જાય?
જોઈએ, ભગવાન મારી પાસે શું કરાવે છે?
તો ચાલો આવજો બધાં. હવે આપણે ત્યારે જ મળીશુ, જ્યારે હુ મારી ભૂલો સુધારી શકીશ.

ત્યાં સુધી અલવિદા.

posted by નીતા કોટેચા at 7:37 AM 10 comments

Monday, August 25, 2008


મોબાઈલ પ્રભુ (1)


હમણા એક સખી બિમાર હતી એને જોવા જવાનું થયુ..એને પણ ઘરમા ને ઘરમાં એકલા એકલા કંટાળો આવતો ,તો મને કહે બેસને થોડી વાર ..પછી અમે ગપ્પા મારતા બેઠા હતા. ત્યા એમને મોબાઈલ પર miss call નો મારો ચાલુ થયો..મે પુછ્યુ "કોણ છે?" તો કહે "મારા સગા માં છે એક જણ ..ખબર નહી કેમ miss call આપે છે" મે કહ્યુ "જુઓ કરી જુઓ સામે શું કામ હશે કોને ખબર?" એમને પણ જરા ચીંતા થઈ.. એમણે સામે ફોન કર્યો.. તો એ બેન એ પુછ્યુ "મે સાંભળ્યુ કે તમને ઠીક નથી." તો મારી સામે બેઠેલા બેન એ કહ્યુ "હા જરા તબીયત માં મજા નથી..તમે કેમ miss call આપ્યો હતો " તો કહે "લે તમારી તબીયત ની પુછ્છા કરવા. હવે જ્યારે મારો miss call આવે ત્યારે સમજી લેજો હુ તમને યાદ કરુ છુ..."માંડ માંડ ફોન પુરો કર્યો .અને પછી એમણે મને બધુ કહ્યુ, અને અમે ખુબ હસ્યા.
વાહ રે મોબાઈલ પ્રભુ વાહ...

નીતા કોટેચા
૨૬-૦૮-૨૦૦૮
posted by નીતા કોટેચા at 8:20 PM 2 comments

Sunday, August 24, 2008

મોબાઈલ પ્રભુ(2)


મોબાઈલ ની આદત એટલી વધી રહી છે કે મોબાઈલ,, લોકો માટે એક વ્યસન બની ગયુ છે..
અને એટલી હદે કે, હવે તો સ્મશાન યાત્રા માં પણ લોકો શ્રીરામ શ્રીરામ ની બદલે મોબાઈલ માં વાતો કરતા મલે છે...
એવો ગુસ્સો આવે ને જોઈને કે એ લોકો ને ઉભા રાખી ને કહુ કે, ભાઈ અહીયાં તો શાતી રાખ..
મોબાઈલ ન હતો ત્યારે પણ દુનીયા ચાલતી જ હતી..
પણ હવે તો કર લો દુનીયા મુઠ્ઠી મે..એને એ નથી ખબર, મોબાઈલ એ એને મુઠ્ઠી માં કરી લીધો છે..
આપણી સરકાર એ જ, આની માટે નીયમ બનાવવો જોઈયે .
પણ જો એ ન બનાવે તો પણ આપણે આટલી આમન્યા તો પોતે જ મ્રુત વ્યક્તી ની અને સ્મશાન યાત્રા ની રાખવી જોઈયે ,કે હુ ત્યાં તો મોબાઈલ નહી જ લઈ જાઉ..
નાટક માં જઇયે અને ઓલા દરવાજા પાસે જ બંધ કરાવે તો કેવા બંધ કરી દઈયે..
કોઇ નાં ધંધા અટકી નથી જવાના,નસીબ માં જેટલુ લખ્યુ હશે એટલુ મલીને જ રહેવાનું છે..
વડિલો સાથે વાત કરતા હોઈયે ક્યાંક ભજન માં બેઠા હોઈયે એટલુ સંભાળવાની આપણા બધા માં અક્કલ છે વાપરીયે ન વાપરીયે એ તો આપણી મરજી પર છે ..
પણ લોકો ને હવે મોબાઈલ વગર એક મીનીટ પણ નથી ચાલતુ..
વાહ મોબાઇલ પ્રભુ વાહ તારી લીલા

નીતા કોટેચા
૨૫-૦૮-૨૦૦૮
posted by નીતા કોટેચા at 5:09 PM 3 comments

Saturday, August 23, 2008

મરણ નું આંમત્રણ


આજે બહાર જાવાનુ થયુ.મારી આગળ બે ભાઇ ચાલતા હતા.બન્ને કોઇ વાત પર ખુબ ચર્ચા કરતા હતા..


ભાઇ નંબર ૧_ ના હુ નહી આવુ મને કોઇ નો ફોન નથી આવ્યો..


ભાઇ નંબર-૨_ અરે રાતના બનાવ બની ગયો ત્યારે તારો ફોન બંધ આવતો હતો..તો અમે શું કરીયે?

ભાઇ નંબર ૧- અરે તો, હુ રાતના મારો મોબાઈલ બંધ કરી ને સુવ..

ભાઇ નંબર ૨- હા બરોબર છે પણ એમા અમારો શું વાક? જો તુ આજે નહી આવે અફસોસ તને રહેશે..કે તે છેલ્લે એનુ મોઢુ ન જોયુ..હુ જાવ છુ તારી મરજી..એને અમે ૧૦.૩૦ વાગે લઈ જાશુ..


અને મને ખુબ આઘાત લાગ્યો કે, માણસ ને હવે મરણ નું પણ, આમંત્રણ જોઈયે છે..


ક્યાં પહોચશે આ દુનીયા?

૨૪-૦૮-૨૦૦૮
નીતા કોટેચા


posted by નીતા કોટેચા at 7:30 AM 3 comments

સ્ત્રી ની જવાબદારી
....................
ઘર માં બે બાળકો હોય, તો એ બે બાળકો વચ્ચે પ્રેમ રહે એ સંભાળવાની જ્વાબદારી માતા પિતા ની હોય છે ।


અને એમનાં લગ્ન થયા પછી એ બન્ને વચ્ચે પ્રેમ રહે એ સંભાળવાની જવાબદારી પુર્ણ પણે એમની પત્ની ની હોય છે.
જો એ બન્ને વચ્ચે સંપ જાળવી રાખશે તો કોઇ દિવસ ઘરમાં જગડા નહી થાય..
અને એક જ માતા નાં બાળકો વચ્ચે કદી પણ અબોલા નહી થાય..
સ્ત્રી ની જવાબદારી બહુ બધી હોય છે...

નીતા કોટેચા
૨૩-૦૮-૨૦૦૮
posted by નીતા કોટેચા at 1:53 AM 6 comments

Friday, August 22, 2008

એક આશા

......................

પ્રભુ એક આશા સાથે મનુષ્ય નીચે મોક્લાવતો રહે છે
કે ક્યારેક તો એ સુધરશે..

પણ ત્યાં તો મનુષ્ય નો પાછો ઉપર જાવાનો સમય થઇ જાતો હોય છે..

અને પ્રભુ તોય આપણામાંથી આશા ખોતો નથી..

એની હિંમત નાં વખાણ આપણે કરવા જ જોઈયે..


નીતા કોટેચા


૨૨-૦૮-૨૦૦૮

posted by નીતા કોટેચા at 5:35 AM 4 comments